સુરતના લિંબાયત ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાનીએ પોતાના ભાષણમાં સત્ય પર અસત્યની જણાવતા તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જો કે તેઓએ વિડીયો વાયરલ થયા બાદ જણાવ્યું હતું કે ભાષણમાં ભૂલથી તેઓ દ્વારા આ કહેવાયું હતું..
.
શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા ને ફાળવવામાં આવેલી સરકારી ગાડી બે જ દિવસ બાદ પરત લઈ લેવાની ઘટના બની છે આક્ષેપ છે કે ,વિરોધ પક્ષના નેતાને ફાળવવામાં આવેલ ઇનોવાકાર બે દિવસ બાદ સર્વિસમાં લઈ જવામાં આવ્યા હોવાનું જણાવી તેમને પુનઃ સિયાજ ફાળવવામાં આવી છે. જ્યારે અધિકારીઓ જણાવી રહ્યા છે કે તેમની ગાડી હાલ સર્વિસમાં આપવામાં આવી છે.
14 ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ 14 ઓક્ટોબર સોમવારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એમ.કોમ, એમ.એ,બી.કોમ, બી.એ,બીબીએ,બીસીએ સહિતના પ્રોગ્રામોની રેગ્યુલર સેમેસ્ટરની પરીક્ષા યોજાશે. પરીક્ષાઓ યુનિવર્સિટીએ જાહેર કરેલા સમય પત્રક અનુસાર લેવા છે. બીએ બીકોમ સેમેસ્ટર 2,5 અને 6 ની તેમજ એમએ તેમજ એમકોમ સેમેસ્ટર 2 અને 3 સાથે બીબીએ અને બીસીએ ના સેમેસ્ટર 2, 5 અને 6 તેમજ બી એસસી IT અને એમએસસી IT ફાઈવ ઇન્ટીગ્રેડ પ્રોગ્રામની પરીક્ષાઓ પણ આ સમયગાળા દરમિયાન લેવા છે.