અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાળવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જેને હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે નવારંગરૂપ આપ્યા છે. ગુજરાત અને ભારતમાં ન હોય
.
કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્ષ મ્યુઝઇયમ, ગ્લાસ ટાવર, ઈલીયુઝમ હાઉસ, ફ્લાઈંગ થીયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે. બાલવાટિકાના નવીનીકરણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ લોકો માટે ખુલ્લું મૂકાશે. બાલવાટિકામાં જે નવા આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે તે કયા છે તેની આગળ વાત કરીએ.
ગુજરાત અને ભારતમાં સૌ પ્રથમ ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત અસલી છે તે નકલી તેની આંખો દગો ખાઈ જાય તેવુ વેક્ષ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફ્લાઈંગ થીયેટર અને ઈલીયુઝમ હાઉસ પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર કાંકરિયામાં જોવા મળશે.

આગામી દિવસોમાં બાલવાટિકા અને તેની રાઇડ્સ અંગેની ફી નક્કી કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કાંકરિયા ઝુ ખાતા હસ્તક આવેલી બાલવાટિકાનું પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 22 કરોડના ખર્ચે બાલવાટિકાને કોન્ટ્રાક્ટર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે જોવા મળતા મ્યુઝિયમ અને રાઇડ્સ નો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. જેના કારણે નાના બાળકોથી લઇ અને મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચરાઇડ રાઇડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે. ટિકિટના દરો આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે જેમ બને તેમ ઝડપી આ બાલવાટિકા નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

પીપીપી ધોરણે શરૂ થનારા પ્રોજેક્ટથી મનપાની આવક પણ વધશે વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે બાલવાટિકામાં અગાઉના વર્ષોમાં અંદાજીત વાર્ષિક રૂ.10 લાખની આવક થતી હતી પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રીડેવલોપમેન્ટ, મોર્ડનાઈઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતાં 27 ટકા રેવન્યુ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજિત આવક રૂ. 40 લાખ થશે. તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈ લાઈટ બિલ અને સિક્યુરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી દ્રારા કરવામાં આવશે.

એન્ટ્રી ટિકિટ સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતા અલગ જ લૂકમાં જોવા મળશે. જેમાં અદ્યતન ડીઝાઇનવાળો એન્ટ્રીગેટ જોવા મળશે. એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે. જેમાં કોઈન હાઉસ કી, કાચ ઘર, શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં ત્યારે બીજી અલગ અલગ એક્ટિવિટી અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મૂજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. જે ચાર્જ હવે પછી નક્કી કરાશે.