વ્યારા કલેકટર કચેરીએ નેશનલ હાઈવે નંબર-53 નિર્માણ સમયે થયેલી જમીન સંપાદન અંગે નામદાર હાઈકોર્ટના હુકમ મુજબ વળતરની રકમ ખાતેદારોને તુરંત આપવાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ આગેવાન યુસુફ ગામીત સહિત મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહી કલેક્ટર કચેર
.
વ્યારામાં અપાયેલ આવેદનમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લામાંથી પ્રસાર થતાં નેશનલ હાઈવે નંબર-૫૩ ના નિર્માણ માટે તાપી જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોનું સંપાદન કરવામાં આવેલ અને ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ આર્બિટ્રેટર અને કલેકટર દ્રારા ૦૨/૦૧/ ૨૦૧૫ના રોજ વળતરની રકમ ચૂકવવા હુકમ કરેલ હોય જેમાં ખેડૂતોની કિંમતી જમીનો નો ભાવ ખુબજ ઓછો ગણવામાં આવેલ હતો. જેથી તે હુકમથી નારાજ થઈ જિલ્લાના ખેડૂતો નામદાર દ્રારા ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ એપલીકેસન નંબર : ૧૩૫૧૦/૨૦૧૫, ૨૨૮૧/૨૦૧૬ અને ૮૪૦૩/ ૨૦૧૬ કરવામાંઆવેલ હતી. જે કામે નામદાર કોર્ટ દ્રારા તારીખ : ૨૯/૦૮/૨૦૨૩ ઓર્ડર કરવામાં આવેલ અને સુપ્રિમકોર્ટના યુનિયન ઓફ ઈન્ડિયા વિરૂઘ તસ્સેમસિંહના કેસ નંબર : એસ.એલ.પી. (સી) નંબર
૯૫૯૯/ ૨૦૧૯ તારીખ : ૧૯/૦૯/૨૦૧૯ ના હુકમ મુજબ જમીન સંપાદનનું વળતર ચૂકવવા જણાવેલ છે. જો ઉપરોકત હુકમની જાણ ખેડૂતોને નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીની કચેરી વ્યારાના ૦૯/૦૪/૨૦૨૪ ના પ્રત્રથી કરી છે અને ઉપરોકત મુજબ સુધારેલ વળતરની રકમની એક કેલ્કયુલેશનસીટ પણ મોકલવામાં આવેલ હતી. પરંતુ ત્યાર બાદ ઉપરોકત વિષયના અનુસંધાને આપની કચેરી દ્રારા સંપૂર્ણ નિરસતા દેખાડી કોઈ નકકર પગલા લેવામાં આવેલ ન હોય અને જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ વળતરની રકમની ચૂકવણી કરવામાં આવેલ ન હોય, આમ ગરીબ ખેડૂતોને તેઓના હકની રકમની ચૂકવણી કરવામાં ગલ્લા-તલ્લા કરતી આવેલ છે.
તાપી જિલ્લો પછાત જિલ્લો છે જેમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. જેમાં પણ ખેડૂતોની મુખ્ય આજિવિકા ખેતી ઉપર આઘારીત હોય અને આટલા લાંબા સમયથી ખેડૂતોની જમીનો લઈ લીઘા બાદ તેઓને તેઓના હકકની વળતરની રકમની ચૂકવણી કરવામાં આવતી ન હોય, જેથી અસરગ્રસ્ત ખેડૂતોની આર્થિક પરિસ્થિતી વધુને વધુ બગડતી જાય તેમ છે.
કમાણીના સ્ત્રોતો ઘટતા જાય છે અને અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ઉભી થઈ છે. અને છેવટે આત્મહત્યા કરવાનો સમય આવેલ છે. આમ, ઉપરોકત સંજોગો અને હકીકતોને ધ્યાને લઈ નામદાન કોર્ટના હુકકમ મુજબ વળતરની રકમ જિલ્લાના તમામ ખેડૂતોને દિન 15 માં ચૂકવી આપવા જરૂરી હુકમ કરશો અન્યથા આમ કરવામાં ફરી વિલંબ કરશો તો ખેડૂતોને વધુ ઉગ્ર આંદોલન કરવા અને ગાંધી ચિંધ્યારાહે કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.