ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છમાં સનાતન હિંદુ સંસ્કૃતિ મુજબ નવરાત્રીની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે. સીમાવર્તી ગામડાઓમાં 5 વર્ષ અગાઉ ખાવડા આસપાસનાં વિસ્તારમાં ફક્ત પાંચ સ્થળો ઉપર માં ની આરાધના કરાતી ત્યાં આજે 34 સ્થાનો ઉપર ઉજવાય છે. સેવા સાધના, કચ્છ અન
.
સીમિત રોજગારી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ આ સમાજ નવરાત્રી રંગે-ચંગે ઉજવે છે. સંસ્થા દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં સ્વયંસેવકો પવિત્ર ગરબો, પૂજાની સામગ્રી અને પ્રસાદ પહોંચાડે છે . કેમકે, છેવાડાં વિસ્તારોનાં આ ગામોમાં ગરબા ,પૂજાની સામગ્રી કે પ્રસાદ પણ સહજ ઉપલબ્ધ નથી. નવરાત્રી દરમિયાન સાંજ પડે ભુજથી સ્વયંસેવકો અને શુભેચ્છકોની ટીમો આ વિસ્તારોમાં આરતી અને સાથે ગરબા રમવા નીકળે છે . જેમાં ઘણી સંસ્થાઓનો પણ સાથ -સહકાર મળે છે. દરેક ગરબીમાં દશેરાનું શસ્ત્રપૂજન સમરસતા અને બંધુતાપૂર્વક કરવામાં આવે છે. જેમાં નારી શક્તિની પણ સહભાગીતા રહે છે.
સરહદ તુઝકો પ્રણામ અંતર્ગત બન્ની-પચ્છમનો પ્રવાસ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા નવલી નવરાત્રીના પાવન પર્વની ઉજવણી માટે કચ્છના અંતરિયાળ સરહદી વિસ્તારના વિવિધ ગામોના બાંધવો અનેક અભાવોની વચ્ચે ભારતીય સંસ્કૃતિને સાચવી મા શક્તિની આરાધના, સાધના, ઉપાસનારુપ નવરાત્રિ સહિત વિવિધ ઉત્સવો ઉજવી રહ્યા છે. આ સમરસતારુપ ઉત્સવમાં સહભાગી થવા ABRSM-ક્ચ્છ ટીમ દ્વારા ખાવડા પાસે આવેલ પ્રણવનગર, તુગા, જામ કુનરિયા અને ભીરંડીયારાના વાઢા વાસની નવરાત્રિ દરમિયાન મુલાકાત લઈ ત્યાના બંધુ-ભગીનીઓ સાથે માં શક્તિની આરાધના કરી ગરબે રમ્યા હતા. આ વિસ્તારના અંતરિયાળ તેમજ દૂરવર્તી વિવિધ ગામોમાં સીમા જન કલ્યાણ-ગુજરાત અને કચ્છની સંસ્થા સેવા સાધના દ્વારા મોટા પાયે સેવાકીય પ્રકલ્પો ચાલી રહ્યા છે જે અનેક જન જાગૃતિ ના કાર્યો કરે છે. નવરાત્રી પ્રવાસ દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ભુજ તાલુકા પ્રાથમિક સરકારી મહામંત્રી બળવંતભાઈ છાંગા જોડાયેલ હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું.