ગાંધીનગરના સેકટર – 11 રામ કથા મેદાન ખાતે આયોજીત કેસરિયા ગરબા નવરાત્રિ મહોત્સવમાં નવમી ઓક્ટોબરની રાત્રે બાળ સંભાળ ગૃહના 24 બાળકોને ગરબા રમવા લાવવામાં આવ્યા હતા. જે પૈકી 16 વર્ષીય સગીર ગરબા ગ્રાઉંડમાંથી ગુમ થઈ જતાં આજદિન સુધી મળી આવ્યો નથી. જેનાં પગલે
.
ગાંધીનગરના સેકટર – 11 રામકથા મેદાન ખાતે કેસરિયા નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા આવેલા બાળ સંભાળ ગૃહના 24 બાળકો પૈકી એક 16 વર્ષિય સગીર ગુમ થઈ જતાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. સેકટર – 19 બાળ સંભાળ ગૃહના ગૃહપતિ વિમલભાઇ અરજણભાઈ મારૂએ ફરિયાદ નોંધાવી છે કે, સંસ્થામાં એચઆઇવી પોજીટીવ બાળકોની સાર-સંભાળ રાખવામાં આવે છે.
ગત તા. 9 મી ઓક્ટોબરનાં રોજ રોજ સાંજના સાડા આઠેક વાગે બાળ ગૃહના 24 બાળકોને કેસરિયા ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે લઈને આવવામાં આવ્યા હતા. દરમ્યાન રાત્રે સાડા અગીયારેક વાગે 24 બાળકો પૈકી 16 વર્ષીય સગીર અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી ગરબા ગ્રાઉન્ડ સહીતના આસપાસના વિસ્તારોમાં તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં સગીરા વતનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જો કે આજદિન સુધી સગીરનો કોઈ પત્તો નહીં લાગતા આખરે ગૃહપતિની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.