નવરાત્રી દરમિયાન અમદાવાદમાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ વિવાદો સામે આવ્યા છે ત્યારે શહેરના એસપી રીંગ રોડ પર ન્યુ સાયન્સ સીટી રોડ તરફ જતા મધુબન પાર્ટી પ્લોટમાં યોજાયેલા મં
.
ગરબામાં પ્રવેશને લઈને અનેક જગ્યાએ વિવાદો મંડળી ગરબાના પાસ ખરીદી ગરબામાં આવેલા ખેલૈયા દીપુભાઈ દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઓનલાઈન પાસ ખરીદ્યા હતા હવે બાળકો સાથે આયોજકો દ્વારા ગરબામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી જેને લઇને લોકોએ હોબાળો મચાવ્યો હતો. 100થી વધારે લોકો બહાર ઉભા હતા આયોજકો દ્વારા બાળકો સાથે પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય કરવામાં આવતા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ પણ ત્યાં આવી હતી જોકે પોલીસે પણ ગરબા આયોજકના નિયમ પ્રમાણે થશે તેમ કહ્યું હતું.
હવે પ્રવેશ ન આપવામાં આવતા પણ લોકોમાં ભારે રોષ ન્યુ સાયન્સ સીટી રોડ ઉપર આવેલા મધુબન પાર્ટી પ્લોટમાં મંડળી નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પાસ ખરીદ્યા હતા. લોકો ગરબામાં નાના બાળકોને પણ લઈને આવતા હોવાથી તેમના પણ પાસ ખરીદ્યા હતા પરંતુ આયોજકોએ નાના બાળકોને પ્રવેશ નહીં જ આપવાનો નિર્ણય લીધો હતો. જોકે પાસ ખરીદેલા હોવા છતાં પણ નાના બાળકો સાથે પ્રવેશ આપવામાં આવતા હોબાળો કર્યો હતો. પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેક દિવસ પહેલાં નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ અચાનક જ પાછળથી હવે પ્રવેશ ન આપવામાં આવતા પણ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
છેલ્લી ઘડીએ આ રીતે નિર્ણય મંડળી ગરબાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં શનિવારે સાંજે પોસ્ટ કરવામાં આવી હતી કે લોકોને સખત સૂચના આપવામાં આવે છે કે 12 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. જે ખેલૈયાઓ પોતાના નાના બાળકોને લઈને ગરબા રમવા માટે આવતા હોય છે અને પાસ ખરીદે છે ત્યારે પોસ્ટમાં લોકોએ કૉમેન્ટ કરી હતી. જેમાં એક મહિલાએ કહ્યું હતું કે ગઈકાલે (શુક્રવારે) 3 ત્રણ વર્ષની ત્રણ નાની બાળકીઓ હતી તું મારી દીકરીને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.અન્ય એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું હતું કે આ એકદમ ખોટો નિર્ણય છે. પૈસા પાછા આપવા જોઈએ. છેલ્લી ઘડીએ આ રીતે નિર્ણય કરવામાં આવતા નોન્સેનસ બાબત લોકોએ ગણાવી હતી. આ રીતે પોસ્ટ મૂકવામાં આવતા અનેક ખેલૈયાઓમાં રોષ ફેલાયો હતો.