આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે શાળાના આચાર્ય દ્વારા ધોરણ છની વિદ્યાર્થીની ઉપર અમાનુષી અત્યાચાર કરી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આવી અઘટિત ઘટનાને લઈને આજરોજ એસસી એસટી ઓબીસી એકતા મંચ પંચમહાલ દ્વારા જિલ્લા અધિક કલેક્ટર ને આવેદનપત્ર
.
આજરોજ એસસી એસટી ઓબીસી એકતા મંચ પંચમહાલ દ્વારા દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામે શાળાના આચાર્ય દ્વારા ધોરણ છની વિદ્યાર્થીની ઉપર અમાનુષી અત્યાચાર કરી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આવી અઘટિત ઘટનાને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં આયુ વી ડી બૌદ્ધ, પ્રોફેસર ખંડુભાઈ, સામાજિક કાર્યકર નટુભાઈ પરમાર, પ્રવીણભાઈ પારગી, અરવિંદભાઈ માછી રક્ષિતકુમાર શ્રીમાળી વિગેરે હાજર રહ્યા હતા અને હત્યારા ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને તથા ગૃહ મંત્રી ને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતમાં મહિલાઓ ઉપરના વધતાં જતાં અત્યાચારોને રોકવા માટે આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.
જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે. દાહોદ, સુરેન્દ્રનગર, મહેસાણાથી અને હવે ભાયલી (વડોદરા)માં 18 વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે.
ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ, ગુજરાતની કાયદા-વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા- વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે.તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.