સગીર વયના બાળકોને વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં નરોડા સત્યમ સ્કુલની સામે ગત 2 એપ્રિલે એક ટુવ્હિલર ચલાવતા સગીરે આધેડને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત બનેલા આધેડે ફરાર ટુવ્હિલર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ કરતા ટુવ્હ
.
નરોડામાં ધર્મનાથ પ્રભુ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય ચેહરસિંહ દરબાર ગત 2 એપ્રિલે સવારે ખોડીયાર માતાના મંદીરે દર્શન કરીને ચાલતા ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સત્યમ સ્કુલની સામે એક ટુવ્હિલર ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી ઈજાગ્રસ્ત થયેલા ચેહરસિંહને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. સારવાર મેળવવ્યા બાદ તેમને ફરાર ટુવ્હિલર ચાલક સામે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસની તપાસ કરી ટુવ્હિલરની નંબર પ્લેટના આધારે તપાસ કરી ત્યારે ઈજાગ્રસ્ત ચેહરસિંહની જ સોસાયટીમાં રહેતા ચિરાગ પટેલના 14 વર્ષના સગીર પુત્રે અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ કરી ત્યારે પુત્ર 2 એપ્રિલે ઘરે કોઈને કીધા વગર જ ટુવ્હિલરની લઈને નિકળ્યો હતો અને અકસ્માત કર્યા બાદ પણ પિતાને જણાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું.
મુળ બિહારના અને હાલ કઠવાડામાં નીલકંઠ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય ચંદન યાદવ કઠવાડાના એક કારખાનામાં નોકરી કરતો હતો. સોમવારે બપોર 2 વાગ્યાની આસપાસ તેઓ કામ અર્થે કઠવાડાથી સીગરવા જતા રોડ પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા અને અંકીતા કંન્ટ્રક્શનના ગેટ પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે ચંદનભાઈને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયેલ ચંદનભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતુ. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.