બોડેલી તાલુકાના લઢોદ ગ્રામ પંચાયતના સરપંચ બીનીતાબેન પરમાર વિરૂદ્ધ ગત 24 સપ્ટેમ્બર 2024ના રોજ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે સરપંચ મિટિંગ બોલાવતા ન હતા. જેને લઇને બોડેલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ એક અધિકારીની નિમણૂક ક
.
મિટિંગમાં કુલ 10 સભ્યોમાંથી એક સભ્ય મૈયત થવાથી જગ્યા ખાલી છે અને સરપંચ બીનીતાબેન ગેરહાજર રહ્યા હતા અને બાકીના 8 સભ્યો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં હાજર રહેલા તાલુકા પંચાયતના અધિકારીએ અવિશ્વાસની દરખાસ્ત અંગેનું મતદાન કરાવતા અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં કુલ 7 સભ્યો હતા. જ્યારે એક સભ્યએ વિરુદ્ધમાં મતદાન કરતા અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરવામાં આવી હતી. લઢોદ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ છેલ્લા અઢી વર્ષથી વિકાસના કામોમાં સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મનમાની કરીને કામ કરતા હોવાનો આક્ષેપો રજૂ કર્યા હતા.