રાધનપુર તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ લિંકને લઇને લોકો નું કામ નહિ થતાં કચેરીએ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે . ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા નાં હોવાને લઇને પડતી હાલાકી સામે લોકો નો આક્રોશ જોવા મળી રહ્યો છે.
.
ગ્રામ્ય વિસ્તારોમાં શાળામાં અને ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. જો યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો આગામી સમય માં 50 હજાર થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તાલુકા સેવા સદનમાં ભૂખ હડતાળ પર ઊતરવની ચીમકી ઉચ્ચારી છે.સતત પાંચ પાંચ દિવસથી લોકો તાલુકા સેવા સદનમાં ધરમ ધક્કા ખાઈ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે.. જેને લઇને તંત્ર સામે લોકોનો રોષ ફેલાયો છે.
તાલુકા સેવા સદનમાં આવતા અરજદારો એ જણાવ્યું હતું કે અહીંયા 40 ટોકન માં 200 જેટલા તો અરજદારો હોય છે. જેને લઇને મામલતદાર કચેરીએ અરજદારો માટે યોગ્ય વ્યવસ્થા નહિ હોવાને કારણે ચોક્કસ લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે તેવું જણાઈ રહ્યું છે. એટલું જ નહિ..પરંતુ રાધનપુર તાલુકા સેવા સદનમાં પાણીની પણ વ્યવસ્થા નથી તેમજ મોટી લાઇનો માં અરજદારો દિવસ દરમિયાન ભૂખ્યા ને તરસ્યા ઉભા રહીને છેવટે કામ નહિ થતાં ઘરે પરત ફરી રહ્યા છે ..ત્યારે ચોક્કસ કહી શકાય કે રાધનપુર મામલતદાર કચેરીએ અરજદારોએ જણાવ્યા મુજબ વ્યવસ્થાને લઇને કોઇ સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે તંત્ર ની લાપરવાહી અને બેદરકારીને કારણે લોકો પરેશાન બન્યા છે..
વિદ્યાર્થીઓ આધારકાર્ડ લિંકને લઇને તાલુકા સેવા સદનમાં સતત પાંચ પાંચ દિવસ લાઇનો માં ઊભા રહેવા મજબૂર બન્યા છે..જેને લઇને વિદ્યાર્થીઓ શાળાએ પણ નથી જઈ સકતા અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ કથડતું જોવા મળી રહ્યું છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય દિશામાં નિર્ણય ક્યારે જે એક ચર્ચાનો વિષય બન્યો છે.