સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે નીતિન પેથાણીને મૂકવાની જોરશોરથી ફેલાયેલી ચર્ચાને બ્રેક લાગી છે કારણકે એક દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાને CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંતર્ગત પ્રમોશન આપવામાં આ
.
પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાને એક દિવસ પહેલા જ CAS એટ્લે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત પ્રોફેસર તરીકે પ્રમોશન આપવામાં આવેલું છે. દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલા હું નવેમ્બર 2022 થી પ્રોફેસર હતો પરંતુ હવે CAS હેઠળ પ્રમોશન મળતા નવેમ્બર – 2011 થી પ્રોફેસર તરીકે ગણનામાં આવીશ. એટલે મતલબ એ થયો કે UGCની ગાઈડલાઈન મુજબ પ્રોફેસર તરીકેનો 10 વર્ષનો અનુભવ ધરાવનાર કાયમી કુલપતિ બની શકે છે અને તે અનુભવ હવે ડૉ. ડોડિયાનો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડૉ. નીતિન પેથાણીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ હતુ. જેઓ 7 ફેબ્રુઆરી, 2019 થી 7 ફેબ્રુઆરી, 2022 સુધી કાયમી કુલપતિ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે પરંતુ તેમના સમયગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ A ગ્રેડ ગુમાવ્યો હતો અને કોન્ટ્રાક્ટ આધારિત અધ્યાપકોની ભરતીમાં વ્હોટ્સએપ પરનું ભલામણ કાંડ બહાર આવતા સમગ્ર ભરતી શિક્ષણ મંત્રીના આદેશથી રદ કરવી પડી હતી.