નવસારી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગૌરીશંકર મહોલ્લામાં મુકેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે સ્થાનિક ટ્રાન્સફોર્મરમાં તણખા ઉડીને આગ લાગી હતી. જેનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આ ઘટના સ્થાનિક લોકોના મોબાઈલ કે
.
ગત સાજે ભારે વરસાદને કારણે વીજવાહક લાઈનોમાં તણાવ આવી જતા ગૌરીશંકર મહોલ્લાના મુખ્ય ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ સર્જાઈ હતી. આ સર્કિટની અસરથી તુરંત જ ટ્રાન્સફોર્મરમાં તણખા ઉડ્યા અને આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સમગ્ર વિસ્તાર વીજવિહોણો બની ગયો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, તો કેટલાક વિસ્તારોમાં વીજ ઉપકરણોમાં ખામી સર્જાઈ હતી. તેમજ ગૌરીશંકર વિસ્તારમાં રહેણાક મકાનને અડીને આવેલા ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે રહેણાક મકાનોમાં ભય ફેલાયો હતો.
સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વીજ વિતરણ કચેરીના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જેથી વધુ નુકસાન ટાળી શકાયું હતું. જોકે, શોર્ટ સર્કિટની અસરથી ટ્રાન્સફોર્મરને ભારે નુકસાન થયું છે, અને તેને પુનઃસ્થાપિત કરવામાં થોડો સમય લાગી શકે છે.