ભચાઉની ભાગોળે ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર આવેલી આઈ માતા હોટેલ નજીકના ભંગારના વાડામાં આજે બુધવાર બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક વેસ્ટ અને ઘી તેલના ખાલી ડબ્બાના કારણે બેકાબુ બનેલી આગથી પસાર થતા વાહન ચાલકોમાં તેમજ આસપાસ રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલ
.
આ ઘટનાના પગલે ભચાઉ ફાયર વિભાગ અને પાસેની આરતી ઈન્દ્રસ્ટ્રીઝના ફાયર ફાયટર દ્વારા બપોરના 12 વાગ્યાથી લઈ 3 વાગ્યા દરમિયાન આગ ઉપર સતત પાણી નો મારો ચાલવાયો હતો. બેકાબૂ આગને કાબૂમાં લેવા ફાયર ફાયટરની ટીમોએ ભારે જહેમત લેવી પડી હતી. ઘટના બાદ હાઇવે ઉપર બેરોકટોક ચાલતા અને ગેરપ્રવૃત્તિઓ ચલાવતા ભંગારના વાડાઓ ઉપર તપાસ થવા લોકમાગ ઉઠી છે.
ઘટના અંગે ભચાઉ પાલિકા હસ્તકના ફાયર વિભાગના ઇન્ચાર્જ પ્રવીણ દાફડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બપોરના 12 વાગ્યાની આસપાસ અણુશક્તિ કંપની પાસે હાઇવે હોટેલ નજીક આવેલા ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગવાની જાણ થતાં, સ્ટાફના કુલદીપ ભાઈ, જરાજસિંહ, શક્તિ સિંહ તેમજ કેમિકલ ફેકટરીના ફાયરના સ્ટાફ દ્વાર બે ફાયર મશીન સાથે અંદજીત ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. અલબત્ત સ્થાનિકે હાજર લોકોએ કહ્યું હતું કે, આગ ખુબજ ઝડપથી ફેલાઈ હતી અને સદભાગ્યે પવનની દિશા હાઇવે તરફ ન હતી અન્યથા વાહનની આવાગમન ઉપર પણ અસર થવાની ભીતિ હતી. જોકે આગ આસપાસના વિસ્તારમાં ફેલાય તે પહેલાં ફાયર વિભાગની તાબળતોબની કામગીરી થી આગળ વધતા અટકી હતી