સુરતમાં સચિનના પાલીગામે બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ હવે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન એ હરકતમાં આવી છે. ઉધના ઝોનમાં આવેલા 12 જર્જરિત અને વિસ્માર હાલતના મિલકતને જીપીએમસી એક્ટ કલમ 264 આવવામાં આવી છે. આ તમામ મિલકતો જર્જરિત હોવાના કારણે આ મિલકતોમાંથી વસવાટ
.
જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી
સુરત શહેરમાં જર્જરિત અને બિસ્માર મિલકતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સચિનની ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. સુરત શહેરના સેન્ટ્રલ ઝોન એ ઉધના વિસ્તારમાં આવેલા ઉધના ઉદ્યોગ નગર સહકારી લિમિટેડ, પ્લોટ નંબર 71, 72,73 પર આવેલા જૈન મંઝિલ, પ્લોટ નંબર 1/8/13 દીપમાલા, અંબર કોલોનીના એપાર્ટમેન્ટ, પ્લોટ નંબર 43d/44, પ્લોટ નંબર 52, ગંગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પાર્ટ એ પાર્ટ બી, દિન દયાલ એપાર્ટમેન્ટ પ્લોટ નંબર 52, 78 અને 84, જીવન જ્યોત નગર બ્લોક નંબર 42, 43ને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
નોટિસમાં ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો
પાલિકાના સેન્ટ્રલ ઝોન એ ઉધના દ્વારા જે મિલકતોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસની કોપી જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક એન્જિનિયર, મેનેજર ગુજરાત ગેસ કંપનીને પણ મોકલવામાં આવી છે. નોટિસ થકી મિલકતના માલિકોને જણાવવામાં આવ્યા છે કે, આજ દિન સુધી મિલકતનું રિપેરિંગ અને ઉતારી પાડવાનું કામ કરવામાં આવ્યું નથી, જેથી મિલકતનું સુરત મહાનગરપાલિકા માન્ય લાઇસન્સ સ્ટ્રક્ચર એન્જિનિયરનું સ્ટ્રકચર સ્ટેબિલિટી અંગેનોરિપોર્ટ રજૂ કરવામાં આવ્યું નથી, જેથી ત્રણ દિવસની નોટિસ આપવામાં આવે છે.
જવાબદારીથી દૂર થવા માંગે છે મનપા
નોટિસ આપવા બાદ જો મિલકતદારો મિલકત ખાલી નહીં કરે તો જવાબદારી તેમની રહેશે. આ વાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જર્જરિત મિલકતોને નોટિસ પાઠવી કાર્યપાલક એન્જિનિયર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે, જર્જરિત અને બીમાર મિલકતોને નોટિસ આપવામાં આવી રહી છે. વસવાટ ખાલી કરવા હુકમ કરવામાં આવ્યા છે, તેમ છતાં જો મિલકતના માલિકો દ્વારા આ અમલ કરવામાં ન આવે અને મિલકતોમાં કોઈ પણ અનિચ્છનીય અથવા આકસ્મિક બનાવો બનશે, તો તેની જવાબદારી મિલકતોના મિલકતદારો અને સંબંધ ધરાવતા વ્યક્તિની રહેશે. સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં, જે ધ્યાને લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.