Surat News : દેશ સહિત ગુજરાતભરમાં આજે શનિવાર (12 એપ્રિલ, 2025) હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6 હજાર કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ: બજરંગબલીને કેમ ચડાવવામાં આવે છે સિંદૂર? જાણો ધાર્મિક માન્યતા
હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ
દેશભરમાં આજે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તો હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના અટલ આશ્રમ ખાતે હનુમાન મંદિરમાં 9 એપ્રિલથી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે આજે શનિવારે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવવામાં આવ્યો હતો. જ્યારે હવે દિવસભર શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરાશે.
આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ: જાણો હનુમાન પ્રાગટ્યની અજાણી ગાથા, કોણ હતાં અંજની માતા?
આશ્રમના મહંતે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે આશ્રમના 50 વર્ષ પૂર્ણ થયા હતા, ત્યારે ભગવાનને 5555 કિલોગ્રામનો લાડુ તૈયાર કરાયો હતો. આ વર્ષે 6 હજાર કિલોગ્રામ તૈયાર કરવામાં આવેલા બુંદીના લાડુમાં 2-2 હજાર કિલોગ્રામ ચણાનો અને ખાંડ સહિત 80-90 ઘી-તેલના ડબ્બા, 100 કિલોગ્રામ સુકો મેવો, 2 હજાર કિલોગ્રામ બુંદી-ગાઠીયા નાખવામાં આવ્યા છે. આ પ્રસંગે 30 હજાર જેટલાં ભાવિકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.’