આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાવલીના ધારાસભ્યએ ખેતીના પાકને થયેલા નુકસાનનો સર્વે સંતોષકારક થયો ન હોવાની રજૂઆત કરી હતી તો સાંસદે સયાજી હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા, સ્વચ્છતા અને
.
જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું કે, બે મહિનાની રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે. કાર્યવાહી કરવા મામલે વડોદરા રાજ્યમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે. આ ઉપરાંત બેઠકમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું કામ શરૂ નથી થયું અથવા તો ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે રણોલી બ્રિજ અંગે રજૂઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓનો હવાલો ડીડીઓના અંડરમાં આવતો હોય છે. તે રસ્તાઓનું મરામત કાર્ય કરવાની રજૂઆત કરવામાં આવી છે. સરકારી SSG હોસ્પિટલમાં કલેક્ટરના સુપરવિઝન હેઠળ સર્વે કરવામાં આવે. તેમાં ડોક્ટર, નર્સ તથા દર્દીઓની સુવિધા, સ્વચ્છતાને સાંકળવામાં આવે. હોસ્પિટલમાં કોઇપણ બનાવ ના બને, સુવિધાઓ સુદ્રઢ બને, તે માટે સર્વે કરવા જણાવ્યું છે.
ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું વધુમાં તેમણે જણાવ્યું કે, ખાણ ખનીજ વિભાગ છે, તેમના હેડને ટકોર કરીને, જોઇન્ટ સર્વે કરીને ખનીજચોરી અટકે તે માટે કડક પગલાં લેવા જણાવ્યું છે. બે મહિનાની રજૂઆતને પગલે ખાણ ખનીજ વિભાગ એક્શનમાં આવ્યું છે. કાર્યવાહી કરવા મામલે વડોદરા રાજ્યમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે. અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ કેશડોલને લઇને જે વિસ્તારો બાકી છે, તેની રજૂઆત કરી છે. તેનો ત્વરિત સર્વે કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
1.10 લાખ ખેડૂતોની સામે 7 હજારને જ લાભ મળશે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પાક નુકશાનીનો સર્વે કરવા માંગ કરવામાં આવી છે. તેઓએ આ સર્વે ખોટો હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે, મારો મુખ્ય મુદ્દો હતો કે, વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને પાકમાં નુકશાન થયું છે. તેનો સર્વે સંતોષકારક થયો નથી. સર્વે બરાબર ના થયો હોય તો જરૂરીયાતમંદ ખેડૂતો સુધી લાભ પહોંચી શકે નહીં. સરકાર મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માંગતી હોય તો, ખેડૂતોને સર્વેના અભાવે લાભ ના મળી શકે. આ સર્વે ખોટો લાગે છે, ઉણપ એટલા માટે લાગે છે, જિલ્લાના 1.10 લાખ ખેડુતો છે. તેમાંથી 7 હજાર ખેડુતોને જ વળતરનો લાભ મળી શકે છે. 6 હજાર હેક્ટર જમીનને જ લાભ મળે છે.
વધારે વળતર આપવાની રજૂઆત કરી વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં લાખો હેક્ટર જમીન છે. કલેક્ટર અને ડીડીઓએ ખાતરી આપી છે, ઉણપ રહી હોય ત્યાં સર્વે ફરી કરાવીને વળતર આપાવીશું. બાગાયત ખેતીનો ખર્ચ વધુ હોય છે. તેને હેક્ટર પ્રમાણે આપવામાં આવે તો તેમને કશું મળતું નથી. તેમને વધારે વળતર આપવામાં આવે એવી રજૂઆત છે. આ વર્ષની કુદરતી આફત સમયે તેમને મદદ મળી રહે.