ભાવનગરમાં નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા રુવાંટા ઉભા કરી દેતું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના ટોપ-3 સિનેમા પાસે આવેલી અવાવરું જગ્યામાં બાવળની કાંટાળી ઝાડીઓમાં માતા નવજાત બાળાને છોડી ફરાર થઈ ગઇ હતી. વહેલી સવારે બાળાનો રડવાનો અવાજ આવત
.
રડવાનો અવાજ આવતા લોકો ભેગા થયા ભાવનગર શહેરના તળાજા રોડ પર ટોપ-3 સિનેમા નજીક રોડપર અવાવરું સ્થળે બાવળની કાંટમા કોઈ દયાહીન જનેતાએ પોતાની કુખે અવૈદ્ય સંબંધ કે અન્ય કોઈ કારણોસર જન્મેલી નવજાત બાળાને તરછોડી ફરાર થઈ ગઈ હતી. વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા એક આધેડને બાળકીનો રડવાનો અવાજ આવતા તેણે લોકોને જાણ કરતાં યુવાનોએ ભરતનગર પોલીસ તથા 108ને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108ના સ્ટાફે નવજાત બાળકીનો કબ્જો લઈ તેને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડી છે.
નિષ્ઠુર જનેતા સામે ગુનો દાખલ આ બનાવની જાણ આસપાસના લોકોને થતા લોકોના ટોળા એકઠા થયા હતા અને ફૂલ સમાન નવજાત બાળકીને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા પર ફિટકાર વરસાવ્યો હતો. આ અંગે પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.