ફાઈલ તસવીર.
સમગ્ર વિશ્વમાં 22 મે પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકોમાં આ ગંભીર સમસ્યા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે ઉમદા ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી થાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નિશા ભોજવાની આ સંદર્ભે જણાવે છે કે
.
સગર્ભા સ્ત્રીએ સાવચેતી રાખવી
મેલી (પ્લેસેન્ટા) જે ગર્ભાશયમાં વિકાસશીલ બાળકને પોષણ અને ઓક્સિજન પૂરો પાડે છે. એમાં ખામી થવાથી માતાના લોહીમાં હાનિકારક રસાયણો મુક્ત થાય છે. જેની આડ અસર તરીકે માતાના લીવર, કિડની, હ્રદય, મગજ, આંખો પર તેની અસર થાય છે અને લોહીના ગંઠાઇ જવાની સમસ્યા ઉદભવે છે. આના કારણે લીવર અથવા કિડની ફેલ્યર, ખેંચ, રક્તસ્ત્રાવ જેવી ગંભીર સમસ્યાઓ સગર્ભા સ્ત્રીને સર્જાઇ શકે છે.
આ પ્રકારના રોગ થવાનું જોખમ વધારે
મેલી (પ્લેસેન્ટા)ના ખામીયુક્ત વિકાસને કારણે વિકાસશીલ બાળક પણ પીડાય છે. બાળકના વિકાસમાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે. પ્રી-એક્લેમ્પસિયાના ગંભીર સ્વરૂપોનો એકમાત્ર ઈલાજ એ સમયસર પ્રસુતિ છે. પહેલાથી જ આ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થેયલ બાળક પછી પ્રી-મેચ્યોરિટીની વધારાની સમસ્યાઓથી પીડાય છે અને તે બાળકના સ્વાસ્થ્યમાં સમસ્યાઓની શક્યતાઓ વધી શકે છે. કેટલીકવાર તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ સ્થિતિ દક્ષિણ એશિયાની મહિલાઓમાં 8-10 ટકા ગર્ભાવસ્થામાં જોવા મળે છે. આ માતાઓ અને બાળકોને પછીના જીવનમાં હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની રોગ થવાનું જોખમ વધારે છે.
શું આપણે આ બધું અટકાવી શકીએ?
સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના વડા ડૉ. ઇલા દેસાઇ જણાવે છે કે, સગર્ભાવસ્થા દરમિયાન રેડિયોલોજીસ્ટ દ્વારા પ્રથમ ત્રિમાસિક નિયમિત NTNB અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ સાથે સ્ક્રીનીંગ કલર ડોપ્લર (યુટ્રાઇન આર્ટરી)ટેસ્ટ ચોક્કસથી આ સ્થિતિના વિકાસની સંભાવનાની જાણ કરી શકે છે. જેમાં કોઇપણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી. સ્ક્રીનીંગ દરમિયાન આ રીપોર્ટ સ્ક્રીન પોઝિટિવ હોવાનું જણાય તો સગર્ભા સ્ત્રીને ચોક્કસ દવા સૂચવવામાં આવી શકે છે. જે આ ગર્ભાવસ્થામાં પ્રી-એક્લેમ્પસિયાને રોકવામાં મદદ કરી શકે છે. વિશ્વભરના વિવિધ અભ્યાસ પ્રમાણે આ દવા કે સારવાર મોટા પ્રમાણમાં મહિલાઓ માટે અસરકારક હોવાનું જણાયું છે.