પાટણ થી ભીલડી તરફ જઈ રહેલી ટ્રેન અડફેટે આવી જતા સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સજૉતા ઓઢવા ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તો બનાવની જાણ રેલવે પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને લાશોના પંચનામાં કરી પી
.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે રહેતા પરમાર સુરેશભાઈ લક્ષ્મણભાઈ અને પરમાર અનિલભાઈ ભીખાભાઈ શનિવારની રાત્રે પાટણથી ઓઢવા જઈ રહ્યા હતા ત્યારે સુજનીપુર નજીક રેલવે ટ્રેક પરથી તેઓ પસાર થતા પાટણ થી ભીલડી તરફ જઈ રહેલી રેલવેની ટક્કરે બંને આશાસ્પદ યુવાનો ચડતાં બન્ને ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. તો અકસ્માતના બનાવવાની જાણ રેલવે પોલીસને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશના પંચનામા કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બંને લાશોના પીએમ બાદ રેલ્વે પોલીસે બંને લાશો પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના પરમાર પરિવારના કાકા બાપાના બંને ભાઈઓના આકસ્મિક મોતને પગલે પરિવારજનો સહિત ઓઢવા ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી અને બંને આસપાસ યુવાનોને અંતિમ વિધિ એક જ સ્થળ પર કરવામાં આવી હતી.