રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. જોકે, આજે સિવિલ તંત્રની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ દ્વારા જુદા-જુદા બે બિનવારસી દર્દીઓની સઘન સારવાર કરી તેમને સંપૂર્ણપણે સાજા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં બંને દર્દીઓ
.
પ્રાપ્ત વિગત મુજબ પંદર દિવસ પહેલાં સુરેન્દ્રનગરના રમેશભાઈ નામના બિનવારસી વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રથમ હેલ્પ ડેસ્ક દ્વારા માહિતી લેતા રમેશભાઈ સુરેન્દ્રનગરમાં રખડતું જીવન જીવતા હતા અને કોઈક ખાવાનું આપે તો ઠીક બાકી ફૂટપાથ ઉપર પડ્યા રહેતા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરાતા રમેશભાઈને પગમાં સેલ્યુલાઈટીસ જેવી ગંભીર બીમારી હોવાથી તાત્કાલિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર કરાઈ હતી.
ત્યાર બાર બીજા એક દર્દી રાજુભાઇ જે રાજકોટમાં જ બિનવારસી તરીકે રહેતા હતા. તેઓ આશરે બે મહિના પહેલા પોતે જાતે બીમારી સબબ દાખલ થયા હતા. ડોક્ટર દ્વારા એમની તપાસ કરતાં એમને જમણા પગમાં ગેંગરીન થતા પગમાં લોહી નહીં મળતા પગ કાળો પડી જવાના કારણે દર્દીનો જીવ બચાવવા માટે દર્દીની રજા લઈને તાત્કાલિક પગ કાપવાની ફરજ પડી હતી. અંદાજે બે મહિનાના આરામ બાદ દર્દી એકદમ સ્વસ્થ થાય ગયા હતા.
હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીનું કાઉનસેલિંગ કરતાં દર્દી પોતાની જીંદગી બિનવારસી તરીકે જીવતા હોય અને દુનિયામાં એમનું કોઈ છે નહીં એ જાણતા હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા સુરેન્દ્રનગર અનુબંધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સંસ્થાના નિરાંત ઘર આશ્રમમાં તપાસ કરતાં બંને દર્દીને ત્યાં આશરો આપવા માટે સંસ્થા તૈયાર થઈ હતી. જેને લઈને 14 એપ્રિલના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં રમેશભાઈ અને રાજુભાઈને સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.હર્ષદ દૂસરા, એચ આર મેનેજર ભાવનાબેન, હેલ્પ ડેસ્કની ટીમના કર્મચારી દર્શિતા કારીયા, ચિરાગ ડાભીની હાજરીમાં સુરેન્દ્રનગર આશ્રમમાં રવાના કર્યા હતા. જેને લઈને બંને દર્દીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.