વડોદરા.છાણી વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થતા તેમનો દેહ ગોત્રી મેડિકલ કોલેજને દાનમાં આપવામાં આવ્યો હતો. તેમજ તેમની આંખો આઇ બેન્કને ડોનેટ કરાઇ હતી.
જૂનાગઢ ખાતે ડિસેમ્બર – ૨૦૨૩ માં યોજાયેલા એક ધાર્મિક મહોત્સવમાં ૨૧,૯૦૦ લોકોએ ચક્ષુદાન તથા ૩૫૨ લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો હતો. સંકલ્પ લેનાર પૈકી છાણી વિસ્તારમાં રહેતા ભક્ત અંબાલાલ નાગજીભાઇ પંચાલ ( ઉં.વ.૮૫) નું ગઇકાલે ઘરે કુદરતી અવસાન થયું હતું. તેમણે લીધેલા સંકલ્પના પગલે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પિત કરવામાં આવ્યો હતો. જેના કારણે મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદ થશે.