વિકાસના મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાતનું જળસંચય જન ભાગીદારી અભિયાન સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તે માટે સુરતમાં વસતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ બિડું ઝડપ્યું છે. આગામી 13 ઓક્ટોબરના રોજ રવિવારે રાજ્યના મુખ્યમંત્
.
ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજ્યભરમાં 80,000થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝો, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે.
વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી કેન્દ્રીય મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજસ્થાન રાજયના સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે. જયારે મધ્યપ્રદેશના વેપારીઓએ મધ્યપ્રદેશમાં 3500 ગામોમાં રેઈન વોટર હાઈવેસ્ટીંગના કામો કરશે. જ્યારે બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રીચાર્જીંગ માટેના કાર્યો બિહારના વતની અને સુરતમાં વસતા વેપારીઓ-ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવશે.
રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો થઈ રહ્યા છે તેમણે વધુમાં કહ્યું કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જયારે પણ જરૂર પડે ત્યારે પરત મળી રહે તે માટે યોજનાને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતમાં એપાર્ટેમન્ટો, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટે બોર કરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના પોલીસ સ્ટેશનો, હેડકવાર્ટરો, સરકારી કચેરીઓમાં પણ છતનું પાણી ભુગર્ભમાં સંગ્રહ થાય તે માટેના રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો થઈ રહ્યા છે.