રાજકોટમાં દિવાળીનાં તહેવારો નજીક હોવાથી શહેરની મુખ્ય બજાર ગણાતા લખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ સહિતની મુખ્ય બજારોમાં ભારે ઘરાકી હોય છે. જોકે, દુકાનો બહાર બેસતા ફેરિયાઓથી ત્રાહિમામ વેપારીઓ દ્વારા તેઓને હટાવવાની માંગ કરવામાં આવી હતી. જેન
.
ચાર દિવસથી ભૂખ્યા બેઠા છીએઃ લીલાબેન પાથરણાવાળા લીલાબેને જણાવ્યું હતું કે, મનપા તંત્ર દ્વારા જ્યાં જગ્યા આપવામાં આવી છે, ત્યાં અતિશય ગંદકી છે. તેમજ જીવજંતુઓ આંટા મારી રહ્યા છે. આ છતાં ઘણા લોકો ત્યાં બેસી ગયા છે, પરંતુ અમને જગ્યા મળી નથી. અમે રોડની સાઈડમાં બેસી છેલ્લા 40 વર્ષથી વેપાર કરીએ છીએ, પરંતુ આ વખતે બેસવા દેવામાં આવતા નથી. અમે તડકે તપીએ છીએ, ચાર દિવસથી ભૂખ્યા બેઠા છીએ છતાં કોર્પોરેશન વાળા સામાન લઈ જાય છે. ત્યારે અમને ન્યાય આપો અને વર્ષોથી અમે જે જગ્યાએ બેસીએ છીએ ત્યાં બેસીને વેપાર કરવાની છૂટ આપવામાં આવે તેવી અમારી માંગ છે.
વ્યાજે પૈસા લઈને ધંધો કરીએ છીએઃ કાજલબેન અન્ય એક પાથરણાવાળા કાજલબેને દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે અહીં દિવાળીનાં 10 દિવસ જ બેસીએ છીએ. રૂ. 20,000 વ્યાજે લઈને ધંધો કરીએ છીએ, પરંતુ આ વખતે અમને અહીં બેસવા દેવામાં આવતા નથી. આ સીઝનમાં અમને વેપાર કરવા નહીં દે તો અમે રૂપિયા કેમ ભરીશું અને ગુજરાન કેમ ચાલશે? હાલ બે ટાઈમ જમવાના રૂપિયા મળતા નથી. આ સિઝન હોવા છતાં વેપાર કરવા દેવાને બદલે અમારો સામાન લઈ લેવામાં આવે છે. અલગ જગ્યા ફાળવી છે, ત્યાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. તેમજ કાયમી વેપારીઓ ત્યાં બેસી ગયા હોવાથી અમારી જેમ દિવાળીનાં 10-20 દિવસ વેપાર કરનારાઓ માટે જગ્યા નથી. અમને રોડ ઉપર દોડાવે છે. ગઈકાલે મનપા અને પોલીસ દ્વારા અમને માર મારવામાં આવ્યો હતો. અમારો માલ પાછો આપી 10 દિવસ વેપાર કરવાની મંજૂરી આપે તેવી તંત્રને અમારી વિનંતી છે.
સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આ વિસ્તારમાં લાખોનો સામાન રાખી વેપાર કરતા ધંધાર્થીઓ દ્વારા મ્યુ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પાથરણા વાળાઓને હટાવવાની માંગ કરાતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી પાથરણાવાળાઓને હટાવવામાં આવી રહ્યા છે. જોકે, વૈકલ્પિક જગ્યામાં તમામનો સમાવેશ ન થતા પાથરણાવાળાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો અમુક પાથરણાવાળા મનપા અને પોલીસની ગાડી દૂર જતા જ ફરી વેપાર કરવા લાગે છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.