સંકટ ચોથને લઈને રવિવારે હિંમતનગરના છાપરીયા વિસ્તારના વિનાયકનગર,ગાંધી રોડ અને હરિઓમ સોસાયટીમાં આવેલા ગણેશ મંદિરે ભક્તોએ પહોચી પૂજન અર્ચન કર્યું હતું.
.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરમાં શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિરે સંકટ ચોથને લઈને સવારે 5.30 કલાકે ગણપતિદાદાને અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરતી કરવામાં આવી હતી. 6.30 કલાકે કેતકી અજયકુમાર સોનીના હસ્તે પૂજન અર્ચન કરીને ધજા ચઢાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલીયા રહેતા યામિની પ્રતિકભાઈ પટેલ તરફથી રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
હિંમતનગરના મહાવીરનગરમાં હરિઓમ સોસાયટીમાં શ્રીસિદ્ધિવિનાયક મંદિરમાં સંકટ ચોથને લઈને ગણપતિદાદાને ભક્તો ધ્વારા પૂજન,અર્ચન અને પ્રાર્થના કરી ધરો અર્પણ કરવામાં આવી હતી. જ્યારે હિંમતનગરના ગાંધી રોડ પર આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં આવેલ જ્યાં ભક્તો વિવિધ પ્રસાદી અર્પણ કરી પ્રાર્થના કરી હતી. તો આ મંદિરની અખંડ જ્યોત શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈથી લાવવામાં આવેલ છે. જે જ્યોત સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.