- Gujarati News
- International
- Imran Khan; Pakistan New Goverment 2024 LIVE Update; Nawaz Sharif Bilawal Bhutto | PTI Vs PML N, PPP Party
ઇસ્લામાબાદ/લાહોર11 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બાદ પરિણામો આવ્યા છે. કોઈપણ પક્ષ 134નો જાદુઈ આંકડો એટલે કે બહુમત હાંસલ કરી શક્યો નથી. હવે ગઠબંધન સરકાર માટેના પ્રયાસો તેજ થયા છે.
નવાઝ શરીફની પાર્ટી PML-Nના પ્રમુખ શાહબાઝ શરીફ રવિવારે રાત્રે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલને મળ્યા હતા. આ પછી પીપીપીએ કહ્યું- સોમવારે કેન્દ્રીય કાર્યકારી સમિતિની બેઠક બાદ નિર્ણય લેવાશે.
બીજી તરફ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થનથી જીતેલા અપક્ષોએ પક્ષ બદલીને નવાઝ સાથે જવાની શરૂઆત કરી છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટ છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક સીટ પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એક સીટ NA-88ના પરિણામોને નામંજૂર કરવામાં આવ્યા છે. અહીં 15મી ફેબ્રુઆરીએ ફરી મતદાન થશે. બાકીની 70 બેઠક રિસર્વ છે.
અત્યાર સુધી 7 અપક્ષ ઉમેદવાર PML-Nમાં સામેલ થયા
રિસર્વ બેઠક પર PTIની નજર
પીટીઆઈના અધ્યક્ષ ગૌહર અલી ખાનનું કહેવું છે કે અનામત બેઠકોના અભાવને કારણે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય એસેમ્બલીઓમાં સરકાર બનાવવાની તેમની તક ઘટી જશે. તેથી આ બેઠકો જીતવા માટે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, પીટીઆઈ નવાઝની પાર્ટી પીએમએલ-એન અથવા બિલાવલની પાર્ટી પીપીપી સાથે ગઠબંધન વિશે વાત કરશે નહીં.
ફોટોઝમાં જુઓ PTIના કાર્યકરોનું પ્રદર્શન
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓ ચૂંટણીથી પરિણામોમાં ધાંધલધમાલનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ તેનો વિરોધ પણ કરી રહ્યા છે. વિરોધના કારણે પાકિસ્તાનના ઘણા શહેરોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે અનેક કામદારોની ધરપકડ પણ કરી છે.
શાહબાઝ શરીફે 24 કલાકમાં બીજી વખત JUI-F ચીફનો સંપર્ક કર્યો
PML-Nના અધ્યક્ષ શાહબાઝ શરીફે 24 કલાકમાં બીજી વખત JUI-Fના મૌલાના ફઝલ ઉર રહેમાનનો સંપર્ક કર્યો. PML-N ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે. જેયુઆઈ-એફ ચીફ મૌલાના ફઝલ-ઉર-રહેમાન ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન (એનએ-44) બેઠક પરથી હારી ગયા હતા. આ બેઠક પરથી પીટીઆઈ સમર્થક અલી અમીન ગંડાપુર જીત્યા હતા.
ઝરદારી અને બિલાવલ નવાઝને મળશે
જિયો ન્યૂઝે મોટા સમાચાર આપ્યા છે. આ મુજબ- આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલ ઈસ્લામાબાદથી લાહોર જઈ રહ્યા છે. અહીં તેઓ પીએમએલ-એનના નેતૃત્વ અને ખાસ કરીને નવાઝ શરીફને મળશે. આ બેઠક અંગે બંને પક્ષો મૌન છે.
અપક્ષ કાદિર પીટીઆઈના સમર્થનથી જીત્યા, હવે નવાઝ સાથે
ઈમરાનની પાર્ટી પીટીઆઈના સમર્થનથી લાહોરની એનએ-121 સીટ જીતનાર વસીમ કાદિરે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનમાં જોડાવાની જાહેરાત કરી હતી. કાદિરે કહ્યું- હું મારા ઘરે પાછો આવ્યો છું. કાદિરને પંજાબ પ્રાંતમાં ઈમરાનની પાર્ટી પીટીઆઈનો મોટા નેતા માનવામાં આવે છે.
મરિયમ નવાઝ સાથે વસીમ કાદિર (જમણે). આ તસવીર રવિવારની છે.
PM નહીં બને તો અપક્ષમાં રહેશે
બિલાવલપાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા ફૈઝલ કરીમ કુંડીએ કહ્યું છે કે જો તેમના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી વડાપ્રધાન ન બને તો તેમણે વિપક્ષમાં બેસવું જોઈએ, પરંતુ અન્ય કોઈની સરકારમાં મંત્રી ન બનવું જોઈએ. ફૈઝલના કહેવા પ્રમાણે – અમે વિપક્ષમાં રહીને પણ જનતાની સેવા કરી શકીએ છીએ, પરંતુ નબળી સરકારમાં સામેલ થવાનો કોઈ અર્થ નથી.