35 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવા વેપાર માર્ગ મામલે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ શકે છે
ભારત અને રશિયા વચ્ચે વેપાર વધારવા અને તેમાં સામેલ ખર્ચ ઘટાડવા માટે નવા વેપાર માર્ગ પર પણ વાતચીત થઈ શકે છે. હાલમાં ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને 10 વર્ષ માટે લીઝ પર લીધું છે.
આવી સ્થિતિમાં ભારત આ બંદર દ્વારા મધ્ય એશિયામાં રશિયા સાથે નવા વેપાર માર્ગો શરૂ કરવાની વાત કરી શકે છે. ભારત આ બંદરની મદદથી ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકે છે.