તેલ અવીવ1 કલાક પેહલા
- કૉપી લિંક
યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે શનિવારે વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. બીજી તરફ બંધકોના આગમન પછી ઇઝરાયલ 183 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
આ ત્રણ બંધકોને રેડક્રોસ સંસ્થાને સોંપવામાં આવ્યા હતા. રેડક્રોસ તેમને ગાઝાથી ઇઝરાયલ ખસેડશે. તેમની મુક્તિ પછી ત્રણેય બંધકોની તસવીરો બહાર પાડવામાં આવી છે, જેમાં તેઓ ખૂબ જ પાતળા અને બીમાર દેખાઈ રહ્યા છે. સમાચાર એજન્સી એપી અનુસાર બંધકોનાં નામ એલી શરાબી, ઓહદ બેન અમી અને ઓર લેવી તરીકે હતા. કરાર અમલમાં આવ્યા પછી કુલ 16 ઇઝરાયલી અને પાંચ થાઈ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કો: ગાઝામાં 19 જાન્યુઆરીથી1 માર્ચ સુધી સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે. હમાસ 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ દરરોજ પોતાના એક બંધકના બદલામાં 33 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. દરેક ઇઝરાયલી મહિલા સૈનિક માટે, 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.
બીજો તબક્કો: જો પહેલા તબક્કાના 16મા દિવસ સુધી એટલે કે 3 ફેબ્રુઆરી સુધી બધું બરાબર રહેશે, તો બીજા તબક્કાના આયોજન પર ચર્ચા શરૂ થશે. આ સમય દરમિયાન કોઈ હુમલા કરવામાં આવશે નહીં. બાકીના જે બંધકો જીવિત છે તેમને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ 1,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, જેમાંથી લગભગ 190 કેદીઓને 15 વર્ષથી વધુ સમયથી સજા ફટકારવામાં આવી છે.
ત્રીજો તબક્કો: આ સોદાના છેલ્લા તબક્કામાં ગાઝાનું પુનર્વસન કરવામાં આવશે. આમાં 3થી 5 વર્ષ લાગશે. હમાસની કેદમાં માર્યા ગયેલા બંધકોના મૃતદેહો પણ ઇઝરાયલને સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર, 2023ના રોજ હજારો હમાસ લડવૈયાઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો અને 1200 લોકોને બંધક બનાવ્યા. આ સાથે 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આના થોડા કલાકો પછી, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી હતી.