19 મિનિટ પેહલાલેખક: મરજિયા જાફર
- કૉપી લિંક
ઘણા લોકો શિયાળામાં કાનના દુખાવાની ફરિયાદ કરે છે. કાનથી શરૂ કરીને આ દુખાવો નાક સુધી પહોંચી શકે છે. કાનની અંદરની રચના ખૂબ જ નાજુક છે. તેની નસો આપણા મગજ અને ગળામાંથી પસાર થાય છે. ENT નિષ્ણાત ડૉ. પંકજ ગુલાટી પાસેથી જાણીએ આ પાછળનું કારણ અને કાનના દુખાવાથી કેવી રીતે બચી શકાય.
કાનમાં દુખાવો ફ્લૂ અથવા ઇન્ફેક્શનને કારણે પણ થઈ શકે છે
શિયાળામાં લોકોને શરદી પછી કાનમાં દુખાવો થવા લાગે છે. કાનથી ગળા સુધી ચાલતી યુસ્ટાચિયન ટ્યુબની મદદથી બેક્ટેરિયા નાક સુધી પહોંચે છે. શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનને કારણે કાનમાં દુખાવો વધી જાય છે અને કાનમાંથી સ્રાવ પણ થાય છે.
નાકમાં ભરાવો
ગળામાંથી કાન સુધી જતી યુસ્ટાચિયન ટ્યુબમાં કોઈપણ પ્રકારના ભરાવાને કારણે પણ દુખાવો વધે છે. આ શિયાળામાં ઘણીવાર થાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર બીમારી થઇ શકે છે.
શરદી અને ઉધરસ
શરદી અને ઉધરસ દરમિયાન ખાંસી અને છીંકથી કાનની અંદરના ભાગમાં દબાણ આવે છે. કાનની ચેતા પર દબાણ થવાને કારણે ઘણીવાર દુખાવો શરૂ થાય છે.
સાઇનસને કારણે પણ કાનમાં દુખાવો થાય છે
જો તમે સાઇનસની સમસ્યાથી પરેશાન છો તો તમારે કાનના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં જો દવા અસર ન કરે તો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. જેથી કરીને આપણે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ.
ઠંડા પવનથી કાનમાં દુખાવો થાય છે
શિયાળામાં કાનમાં ઠંડી હવા કાનની નસો ઉપર તરત અસર થાય છે. શિયાળામાં બહાર જતા પહેલાં તમારા કાન અને નાકને ઢાંકી લો. જેનાથી તમે આ સમસ્યાથી બચી શકો છો.
કાનમાં દુખાવો કોઈપણ ઉંમરે થઈ શકે છે
બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી કાનમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. કાન પાકવાની સમસ્યામાં સૌથી મોટું કારણ વાઇરલ અથવા ઇન્ફેક્શન હોય છે. મહિલાઓ જયારે કાન વિંધાવે છે ત્યારે ઇન્ફેક્શનને કારણે કાનમાં દુખાવો થઇ શકે છે. કાનમાં મેલ અથવા ગંદકીને કારણે પણ કાનમાં સમસ્યા થઇ શકે છે.
કાનમાંથી આ કારણે સ્ત્રાવ થઇ શકે
કાનની સમસ્યાની સારવાર દરેક દર્દીમાં અલગ-અલગ હોઈ શકે છે. આ સમસ્યામાં સૌપ્રથમ તબીબો તેના કારણો શોધી કાઢે છે અને પછી લક્ષણોના આધારે તેની સારવાર કરે છે. જો દર્દીને કાનમાં તીવ્ર દુ:ખાવો થતો હોય, તો સૌથી પહેલા દર્દને કાબૂમાં લેવા માટે દવાઓ અથવા ટીપાં આપવામાં આવે છે. કેટલાક લોકોમાં કાનમાં વાગવાની સમસ્યા સામાન્ય સ્વચ્છતાનું ધ્યાન રાખવાથી પોતાની મેળે જ ઠીક થઈ જાય છે, પરંતુ કેટલાક લોકોમાં જો આ સમસ્યા ગંભીર બની જાય છે તો તેનાથી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો કાનની સમસ્યાના લક્ષણો દેખાય તો સૌ પ્રથમ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.
કાનમાં પાકવાની સમસ્યામાં આ ઘરગથ્થુ ઉપચાર કરો
- બેક્ટેરિયલ, વાઈરલ અને ફંગલ ઈન્ફેક્શન ઉપરાંત કાનમાં ઈજા, ફોડલી વગેરેને કારણે પણ કાનમાં સમસ્યા થઈ શકે છે. આનો સામનો કરવા માટે, ઘરેલું ઉપચાર કરી શકાય છે.
- જો કાનના ઈન્ફેક્શનને કારણે તમારા કાનમાં સોજો આવી ગયો હોય તો ફુદીનાનો ઉપયોગ ફાયદાકારક છે.
- એપલ સાઈડવિનેગરને ગરમ કરીને કાનમાં નાખવાથી પણ દુખાવામાં રાહત મળે છે.
- આ સમસ્યામાં લસણના તેલનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક છે.
અસ્વીકરણ: આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરતા પહેલાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લો.