24 મિનિટ પેહલાલેખક: શિવકાંત શુક્લ
- કૉપી લિંક
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરના લાડુના વિવાદથી કોણ વાકેફ નથી. મંદિરના ‘તિરુપતિ લડ્ડૂ પ્રસાદમ્’માં વપરાતા ઘીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ફોરેન ફેટ(પ્રાણીઓની ચરબી) હોવાનું સામે આવ્યું હતું, જેમાં લાર્ડ (ડુક્કરની ચરબી), ટેલો (બીફ) અને માછલીનું તેલ તેમજ નાળિયેર, અળસી, રેપસીડ અને કપાસિયાનો સમાવેશ થાય છે. પ્રસાદના સ્વાદમાં ફેરફારની ફરિયાદો બાદ આ માહિતી સામે આવી છે, જેના કારણે ઘીની શુદ્ધતા અંગે લોકોની ચિંતા વધી છે.
ઘીની શુદ્ધતા અંગે દરેકના મનમાં સવાલો ઊઠી રહ્યા છે કે, શું આપણે પણ ભેળસેળયુક્ત ઘીનું સેવન કરીએ છીએ. તેથી, આજે ‘કામના સમાચાર’માં અમે તમને ઘરમાં શુદ્ધ ઘી ઓળખવાની રીતો વિશે જણાવીશું. તમે એ પણ જાણશો કે-
- ઘરે શુદ્ધ ઘી કેવી રીતે બનાવવું?
- તમારા સ્વાસ્થ્ય માટે ઘી કેટલું ફાયદાકારક છે?
- ઘીમાં કયા તત્ત્વો જોવાં મળે છે?
પ્રશ્ન- ઘરમાં ભેળસેળયુક્ત ઘી કેવી રીતે ઓળખવું? જવાબ- ઘીની ગુણવત્તા અંગે વધતી જતી ચિંતાઓ સાથે, ઘરમાં ઘીની શુદ્ધતા કેવી રીતે ચકાસવી તે જાણવું જરૂરી છે. અહીં અમે તમને કેટલીક સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ચકાસી શકો છો કે તમે ખાઓ છો તે ઘી અસલી છે કે નકલી.
સુગંધથી પારખો શુદ્ધ ઘીમાં એક વિશિષ્ટ, અખરોટ જેવી સુગંધ હોય છે, જે ગરમ થાય ત્યારે તીવ્ર બને છે. કૃત્રિમ અથવા ભેળસેળયુક્ત ઘીમાં ઘણીવાર આ સુગંધ હોતી નથી, આ બાબત તે ઘી ભેળસેળયુક્ત હોવાનો સંકેત આપે છે.
રંગ દ્વારા પરીક્ષણ ગાયનું અસલી ઘી હળવા સોનેરી અને પીળા રંગનું હોય છે. તેમાં કૃત્રિમ રંગો નથી હોતા. જો ઘી અસામાન્ય રીતે ચમકદાર દેખાય અથવા તેનો કુદરતી રંગ ન હોય તો તે અશુદ્ધ હોઈ શકે છે.
ઘીની રચનાને ધ્યાનથી જુઓ શુદ્ધ ઘી સ્મૂધ અને મલાઈ જેવું હોય છે. જ્યારે રેફ્રિજરેટ કરવામાં આવે છે ત્યારે તે થોડું થીજી જાય છે, પરંતુ જ્યારે ગરમ થાય છે ત્યારે તે સરળતાથી પીગળી જાય છે. ચીકણું ઘી ભેળસેળ સૂચવે છે.
ગરમ કરીને અને શુદ્ધતા તપાસો શુદ્ધતા ચકાસવા માટે, એક વાસણમાં થોડું ઘી ગરમ કરો. શુદ્ધ ઘી સ્પષ્ટ અને કાંપથી મુક્ત રહે છે. જો કેટલોક કચરો તળિયે સ્થિર થાય તો ઘીમાં ભેળસેળ હોવાની શક્યતા રહે છે.
સળગાવીને પરીક્ષણ કરો ગરમ તવા પર એક ચમચી ઘી મૂકો. શુદ્ધ ઘી કોઈપણ કચરો બાકી રાખ્યા વિના ઝડપથી ઓગળી જાય છે અને ધુમાડામાં બાષ્પીભવન થઈ જાય છે. અશુદ્ધ ઘીમાંથી દુર્ગંધ આવી શકે છે અથવા વાસણમાં કચરા જેવું છોડી શકે છે.
રેફ્રિજરેશન ટેસ્ટ શુદ્ધ ઘી જ્યારે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે ત્યારે ઘન બને છે, પરંતુ જ્યારે સામાન્ય તાપમાને રાખવામાં આવે છે ત્યારે તે પીગળી જાય છે. જો રેફ્રિજરેટ કર્યા પછી પણ તે પ્રવાહી રહે છે, તો આ ઘી નકલી અને ભેળસેળવાળું છે.
પાણી સાથે તપાસો આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો. પછી તેમાં થોડું ઘી નાખો. જો ઘી પાણીમાં તરે તો શુદ્ધ છે અને જો ઘી પાણીમાં ડૂબી જાય તો તે ભેળસેળયુક્ત છે.
આ સિવાય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ ઘીની શુદ્ધતા ચકાસવા માટે બે પદ્ધતિઓ સૂચવી છે. નીચેના ગ્રાફિકમાં આને સમજો.
પ્રશ્ન- ભારતમાં ઘી અને માખણનો કેટલો વપરાશ થાય છે? જવાબ- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ભારતમાં ઘી અને માખણનો માથાદીઠ વપરાશ 2007માં પ્રતિ વર્ષ 2.7 કિલો (વ્યક્તિ/દિવસ દીઠ 7.4 ગ્રામ) હતો, જે વધીને 4.48 કિગ્રા પ્રતિ વર્ષ (12.3 ગ્રામ) થયો છે. જે વર્ષ 2020 માં (12.3 ગ્રામ વ્યક્તિ/દિવસ દીઠ) થયો
પ્રશ્ન- ઘીમાં કયા તત્ત્વો જોવા મળે છે? જવાબ- ઘીમાં મુખ્યત્વે 99.5% ચરબી અને 0.5% થી ઓછો ભેજ હોય છે. આ સિવાય ઘીમાં વિટામિન A, વિટામિન D, વિટામિન E, વિટામિન K અને ફોસ્ફોલિપિડ હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે. આ સિવાય તેમાં કેલ્શિયમ અને ઓમેગા 3 જેવા મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એકંદરે, તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ પૂજામાં પણ થાય છે.
પ્રશ્ન- બજારમાંથી ઘી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- નીચેના ગ્રાફિકમાં આપેલા મુદ્દાઓ જુઓ-
પ્રશ્ન- ઘી અને માખણ વચ્ચે શું તફાવત છે? જવાબ- ઘી અને માખણ એકસમાન છે, પરંતુ તે બનાવવાની રીતમાં ફરક છે. બંને બનાવવાની પ્રક્રિયા એકસરખી છે, પરંતુ ઘી માખણ કરતાં થોડું વધારે પકાવવામાં આવે છે, જેના કારણે તે વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ ઉપરાંત તેનો રંગ પણ ઘાટો થઈ જાય છે.
પ્રશ્ન- શું ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? જવાબ- ઘી એ વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સનો સમૃદ્ધ સ્રોત છે. નિષ્ણાતો કહે છે કે ચરબીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, પરંતુ અભ્યાસ દર્શાવે છે કે ઘી જેવો ચરબીયુક્ત ખોરાક ખાવાથી શરીરને કેટલાક જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. તંદુરસ્ત ખોરાક અને શાકભાજીને ઘી સાથે રાંધવાથી વધુ પોષક તત્વો મળી શકે છે. જો કે, તેનું વધુ સેવન કરવું નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય માટે ઘી કેટલું ફાયદાકારક છે તે જોવા માટે નીચેનું ગ્રાફિક જુઓ.
ઘરે ઘી બનાવવાની સરળ રીત જ્યારથી બજારમાં ભેળસેળયુક્ત ઘી આવ્યાં છે ત્યારથી મોટાભાગના લોકો તેને ખરીદવાથી ડરે છે. જો તમે ઘી ખાવાના શોખીન છો તો અહીં અમે તમને ઘરે ઘી બનાવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. તમે નીચેના ગ્રાફિક દ્વારા સમગ્ર પ્રક્રિયાને સમજી શકો છો.
પ્રશ્ન- મારે કેટલી માત્રામાં ઘીનું સેવન કરવું જોઈએ? જવાબ- સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ દરરોજ એક કે બે ચમચી ઘીનું સેવન કરી શકે છે. 2 વર્ષથી ઉપરનું બાળક પણ રોજ એક કે બે ચમચી ઘી ખાઈ શકે છે. ધ્યાન રાખો કે મહેનત વગર વધારે ઘી પચવું સહેલું નથી. આથી જે લોકો ઘી ખાય છે તેમણે મહેનત કરવા પર પણ ધ્યાન આપવું જોઈએ.