18 મિનિટ પેહલાલેખક: મરજિયા જાફર
- કૉપી લિંક
કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી ડુંગળીના ફોતરામાંથી કાઢવામાં આવતા સ્વીટનરને બજારમાં લાવવાની યોજના પર કામ કરી રહી છે. આ આયોજનમાં સરકાર દ્વારા આયોજિત સ્પર્ધામાં વિજેતા બનેલા સ્ટાર્ટઅપ સાથે ભાગીદારી કરવામાં આવશે. પરંતુ ડુંગળીના ફોતરાં અન્ય ઉપયોગો પણ છે.
દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ તો થતો જ હોય છે. તો અમુકની થાળી જ ડુંગળી વગર અધૂરી હોય છે, પરંતુ ડુંગળીના ફોતરાં ડસ્ટબીનમાં હોય છે. ડુંગળીનાં ફોતરાં ફેંકતા પહેલાં આ લેખને પૂરો વાંચો, તમે ફોતરાં નો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. આવો જાણીએ પ્રખ્યાત આયુર્વેદચાર્ય ડૉ. આર.પી. પરાશર પાસેથી ડુંગળીનાં ફોતરાંના ફાયદા વિશે.
ડુંગળીનાં ફોતરાંના ફાયદા
ડુંગળીનાં ફોતરાંમાં વિટામિન એ, વિટામિન ઇ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ડુંગળીનાં ફોતરાંમાં સલ્ફર, ફ્લેવોનોઈડ્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ડુંગળીનાં ફોતરાંમાં ફોસ્ફરસ, નાઈટ્રોજન અને પોટેશિયમ પણ હોય છે. ડુંગળીનાં ફોતરાંમાંથી બનેલી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ડુંગળીનાં ફોતરાંવાળી ચાના ફાયદા
ડુંગળીનાં ફોતરાંમાંથી ચા બનાવી શકાય છે. આ સાંભળવામાં થોડું અજુગતું લાગે છે પરંતુ આવો જાણીએ ડુંગળીનાં ફોતરાંમાંથી કેવી રીતે બને છે.
આ રીતે… ડુંગળીનાં ફોતરાંની ચા બનાવો
ડુંગળીનાં ફોતરાંને સારી રીતે ધોઈને સાફ કરો. એક પેનમાં 2 કપ પાણી અને ડુંગળીનાં ફોતરાં ઉમેરો. થોડી વાર પાણી ઉકાળો. જ્યારે તેનો રંગ બદલાવા લાગે તો ગેસ બંધ કરી દો. આ ચાને ગરમ મધમાં મિક્સ કરીને પીવો.
વાઇરલ અને ફ્લૂથી છુટકારો મેળવો
ડુંગળીનાં ફોતરાં એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, જે શરદી, ઉધરસ અને ફ્લૂના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. તે મોસમી ચેપનું જોખમ પણ ઘટાડે છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
તમને પૂરતી ઊંઘ મેળવવામાં મદદ કરે છે
જો તમે અનિદ્રાથી પીડિત છો અને સારી અને આરામદાયક ઊંઘ મેળવવા માંગતા હો તો ડુંગળીનાં ફોતરાંમાંથી બનેલી ચાનો ઉપયોગ કરો. આ ચા અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં અને શાંતિપૂર્ણ ઊંઘ લાવવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો અને વિવિધ પ્રકારની કસરતો કરીને કંટાળી ગયા છો, તો તમારી દિનચર્યામાં ડુંગળીનાં ફોતરાંમાંથી બનેલી ચાનો ઉપયોગ કરવાનું શરૂ કરો. આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
વાળ માટે ડુંગળીનાં ફોતરાંનો ઉપયોગ
ડુંગળીનાં ફોતરાં વાળની ગુણવત્તામાં સુધારો કરે છે અને વાળ ખરવાની સમસ્યાને પણ ઘટાડી શકે છે. ડુંગળીનાં ફોતરાંનો ઉપયોગ વાળમાં થતા ડેન્ડ્રફને ઓછો કરી શકે છે.
બદલાતા હવામાન અને શિયાળાની સાથે ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડુંગળીનાં ફોતરાંને પાણીમાં સારી રીતે ઉકાળો અને પછી તેને ગાળીને ઠંડુ થવા દો. જ્યારે પાણી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય, ત્યારે આ પાણીથી સ્કેલ્પની માલિશ કરીને વાળ ધોઈ લો. ડુંગળીનાં ફોતરાંનું પાણી વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને ઘટાડે છે.
ડુંગળીની છાલને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરો. 2 ચમચી ડુંગળીની છાલનો પાવડર 2 ચમચી એલોવેરા જેલ સાથે મિક્સ કરો. આ પેસ્ટને હેર માસ્કની જેમ વાળ અને સ્કેલ્પ પર લગાવો અને પછી 20 થી 30 મિનિટ પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. આ હેર પેકનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થશે અને ચમક આવશે.
ચમકતી ત્વચા, એલર્જી દૂર રહે છે
ડુંગળીનાં ફોતરાંમાંથી બનેલી ચા, જેમાં વિટામિન A પણ ભરપૂર હોય છે, તે આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે. ડુંગળીનાં ફોતરાંમાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે ત્વચાની સુંદરતા વધારે છે. ત્વચાની ચમક વધારવા માટે આ એક બેસ્ટ ઉપાય છે. ડુંગળીનાં ફોતરાંમાં ફૂગપ્રતિરોધી ગુણ હોય છે, તેથી જો ત્વચા પર કોઈપણ પ્રકારની ખંજવાળ હોય તો તે ફાયદાકારક સાબિત થાય છે.
ડુંગળીનાં ફોતરાં બગીચામાં હરિયાળી લાવે છે
જો તમે બગીચાના શોખીન છો તો તમે ડુંગળીની છાલની મદદથી ખાતર પણ બનાવી શકો છો. ઘણા લોકો ડુંગળીનાં ફોતરાંની મદદથી ખાતર બનાવે છે. તેમાંથી ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. ડુંગળીનાં ફોતરાંમાં એન્ટી-માઈક્રોબાયલ ગુણ હોય છે જેની મદદથી આપણો છોડ ઝડપથી અને સારી રીતે વધે છે. ત્રણથી ચાર મુઠ્ઠી ડુંગળીનાં ફોતરાંને 24 થી 48 કલાક પલાળી રાખો. પછીથી તેનો ઉપયોગ કરવા માટે તેને કન્ટેનરમાં ફિલ્ટર કરો.