39 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવી પેઢીના યુવાઓનો રોમેન્ટિક સંબંધો તરફનો ઝુકાવ ઘટી રહ્યો છે. હવે પ્રેમ અને સંબંધોને શોધવાને બદલે યુવાઓ એકલા સમય પસાર કરવાનું પસંદ કરવા લાગ્યા છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ એસેક્સ દ્વારા તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જનરેશન ઝેડ અને આલ્ફા યુવાનો ઇન્ટરપર્સનલ રોમેન્ટિક સંબંધોથી દૂર જઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાની પેઢીની સરખામણીમાં, રોમેન્ટિક સંબંધો તરફ તેમનો ઝોક ઝડપથી ઘટ્યો છે. આવા યુવાનો માત્ર એકલતામાં જ પોતાનું સુખ શોધી રહ્યા છે.
આજે ‘રિલેશનશિપ’ કોલમમાં આપણે સંબંધો પ્રત્યે નવી પેઢીના બદલાતા વિચાર વિશે વાત કરીશું.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/05/relationship-4-7-2024-july-02_1720175924.jpg)
મજબૂરીથી નહીં પસંદગીથી સિંગલ રહે છે
યુનિવર્સિટી ઓફ એસેક્સના તાજેતરના સંશોધનમાં નવી વાત એ છે કે, આજકાલ યુવાઓ ખુશીથી સિંગલ રહેવાનું પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ, પ્રેમ સંબંધમાં પ્રવેશવા માટે તેમના પર સામાજિક દબાણ અને પીયર પ્રેશર પણ ઓછું થયું છે. આ કારણોસર, યુવાઓમાં એકલતા સામાન્ય અને વધુ સારી માનવામાં આવે છે. આવા યુવાઓ જેઓ કુંવારા હોય છે તેઓ યુગલને જોયા પછી ઇન્ફિરીયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતા નથી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/05/relationship-4-7-2024-july-03_1720175956.jpg)
નવી પેઢી સંબંધોને નકારે છે, હવે સિંગલ રહેવાની ફેશન થઈ ગઈ છે
નવી પેઢીમાં રોમેન્ટિક સંબંધો વિશે બદલાતી વિચારસરણીની તપાસ કરવા માટે, બ્રિટનની એસેક્સ યુનિવર્સિટીએ 2936 યુવાનો પર લોન્ગિટ્યૂટડનલ સંશોધન હાથ ધર્યું હતું. આ યુવાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા.
એક તરફ એવા યુવાઓ હતા, જેમનો જન્મ 1980-90ના દાયકામાં થયો હતો. બીજી બાજુ, 1997 પછી જન્મેલા લોકો જનરેશન આલ્ફા અને જનરલ-ઝેડના બાળકો હતા. આ સંશોધન પ્રથમ તબક્કામાં 2008 થી 2011 સુધી અને બીજા તબક્કામાં 2018 થી 2021 સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન બે પેઢીઓ વચ્ચેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી.
પરિણામોમાં જાણવા મળ્યું છે કે, 2008-11 અને 2018-21 વચ્ચેના 10 વર્ષના ગાળામાં યુવાનોમાં રોમેન્ટિક સંબંધોનો ક્રેઝ ઝડપથી ઘટ્યો હતો. 10 વર્ષ પછી જન્મેલી પેઢી તેમના એકલતાથી પ્રમાણમાં સંતુષ્ટ હતી. જ્યારે પહેલાની પેઢીએ કોઈક રીતે સંબંધમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને નિષ્ફળ જવાનું એક લઘુતાગ્રંથિ પણ અનુભવી.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/05/relationship-4-7-2024-july-04_1720176047.jpg)
પ્લાનિંગ સાથે બની રહ્યા છે ‘હેપ્પલી સિંગલ’
સામાન્ય રીતે આપણા સમાજમાં, એકલતાને ઉદાસી અને નિમ્ન જીવન સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અવિવાહિત છે તો તેનો અર્થ એ છે કે તેને જીવનસાથી નથી મળી રહ્યો અથવા તો લગ્ન નથી થઈ રહ્યા. આવા લોકોને ‘અધૂરા’ ગણવાનો પણ ટ્રેન્ડ રહ્યો છે.
પરંતુ હાલનો ટ્રેન્ડ ‘હેપ્પી સિંગલ’નો છે, જેમાં લોકો પોતાની ખુશી અને સુખાકારી માટે સિંગલ રહેવાનું પસંદ કરે છે. આવા લોકો જ પોતાને ‘હેપ્પી સિંગલ’ કહે છે. આ એવા લોકો નથી જે લગ્ન, પ્લાનિંગ કે સંબંધોથી ભાગી જાય છે. તેના બદલે, તેઓ આ જીવનને સંપૂર્ણ તૈયારી સાથે પસંદ કરે છે. આવા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/05/relationship-4-7-2024-july-05_1720176071.jpg)
ડિજિટલ ડિવાઇસ અને એન્ફ્લુએન્સર સાથે એકતરફી સંબંધ
નવી પેઢી પ્રેમથી દૂર જઈ રહી છે. જો કે આ માટે ઘણા કારણો ટાંકવામાં આવ્યા છે, એસેક્સ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોએ મુખ્યત્વે ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને આ માટે જવાબદાર ગણાવ્યું છે.
વાસ્તવમાં, નવી પેઢીના યુવાઓ આંતરવ્યક્તિગત પ્રણય સંબંધો (બે વ્યક્તિ વચ્ચેના પ્રણય સંબંધ)ને બદલે પેરા સોશિયલ રિલેશનને પ્રાધાન્ય આપી રહ્યા છે.
આવી સ્થિતિમાં આ યુવાઓ વાસ્તવિક સંબંધ બાંધવાની ઈચ્છા છોડી દે છે. તેમની ભાવનાત્મક જરૂરિયાતો ઓનલાઈન જગત દ્વારા પૂરી થાય છે. તેઓ વાતચીત માટે સોશિયલ મીડિયા અને વાસ્તવિક જીવનમાં એકલતા પસંદ કરે છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/07/05/relationship-4-7-2024-july-06_1720176093.jpg)
એકંદરે, મુદ્દો એ છે કે, નવી પેઢી સંબંધોનો અર્થ બદલી રહી છે. હવે સંબંધ એ માત્ર બે હૃદય વચ્ચેનું બંધન નથી. ઇન્ટરપર્સનલ હોવા સાથે, ઇન્ટ્રાપર્સનલ એટલે કે, સ્વ સાથે સંબધ હોઈ શકે છે. વળી, હવે યુવાઓ રોમાન્સ વિના પોતાનું જીવન અધૂરું માનતા નથી. નવી પેઢી પ્રેમ કરવાની બાબતમાં જેટલી આધુનિક છે એટલી જ તે પ્રેમ ન કરવાની બાબતમાં સ્વતંત્ર છે. કેટલાક યુવાઓ પ્રેમ કે સંબંધોમાં રહેવા માંગતા નથી. તેઓ ખુશીથી કુંવારા રહે છે અને સિંગલ રહેવામાં દિલાસો મેળવે છે. તેઓ પોતાની જાત સાથેની કંપનીનો આનંદ માણે છે અને ખુશ રહે છે.
સંશોધનનો મત એવો છે કે, જે લોકો પોતાની મરજીથી સિંગલ છે અને જેઓ પ્રેમાળ સંબંધોમાં છે તેમાં કોઈ ફરક નથી. બંને પોતપોતાના જીવનથી ખુશ અને સંતુષ્ટ છે.અનિચ્છાએ કુંવારા રહેવું અથવા ખરાબ-ટોક્સિક રિલેશનમાં આવવાથી સમસ્યાઓ સર્જાય છે.