મુંબઈ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
બદલાપુરની સ્કૂલમાં બાળકીઓના યૌન શોષણની ઘટનાથી રોષે ભરાયેલા લોકો રેલવે સ્ટેશન અને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળકીના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મંગળવારે (20 ઓગસ્ટ) બદલાપુર રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકલ ટ્રેનો રોકવામાં આવી હતી.
થાણેના બદલાપુરમાં એક સ્કૂલના બાથરૂમમાં છોકરીઓના યૌન શોષણનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. લોકોએ વિરોધ કરીને સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસે આ કેસમાં અત્યાર સુધી સ્કૂલ એટેન્ડન્ટ (અક્ષય શિંદે)ની ધરપકડ કરી છે. આરોપીએ 17 ઓગસ્ટના રોજ બાથરૂમમાં બાળકીઓનું યૌન શોષણ કર્યું હતું. બીજા દિવસે 18 ઓગસ્ટે જ્યારે માતા-પિતાને તેની જાણ થઈ તો તેમણે એફઆઈઆર નોંધાવી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
થાણે પોલીસે ફરિયાદ નોંધી
થાણે પોલીસના જણાવ્યા અનુસાર, એક નર્સરી સ્કૂલની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યૌન શોષણનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચાર વર્ષની બાળકીએ તેના વાલીને આ વિશે જણાવ્યું. જે બાદ બંને પરિવારોએ મેડિકલ તપાસની માંગ કરી હતી. આ પછી તેમણે થાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ પોસ્કોમાં નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલમાં ઘટના સ્થળના સીસીટીવી બંધ હોવાનું જણાયું હતું. કેસની તપાસમાં બેદરકારીને કારણે મહિલા પોલીસ અધિકારી શુભદા શિતોલેની બદલી કરવામાં આવી છે. મામલો સામે આવ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને સ્ટાફમાંથી એક મહિલાને સસ્પેન્ડ કરી દીધા છે.
બદલાપુરમાં વિરોધ પ્રદર્શનની તસવીર…
બદલાપુરમાં પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઉભા રહીને પ્રદર્શન કર્યું.
બદલાપુર બંધનું એલાન, સ્કૂલમાં પણ પ્રદર્શન મંગળવારે સવારે 8 વાગ્યે રોષે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના ટ્રેક પર ઉભા રહીને વિરોધ શરૂ કર્યો હતો. ઘણી ટ્રેનો રોકવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ લોકોએ સ્કૂલમાં ઘૂસીને પ્રદર્શન કરી તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. કલ્યાણ બદલાપુર લોકલ ટ્રેન સેવા એક કલાકથી વધુ સમય માટે ઠપ થઈ ગઈ છે. તેના વિરોધમાં અનેક સંગઠનો દ્વારા આજે બદલાપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.