- Gujarati News
- National
- Akhilesh Yadav; Uttar Pradesh SP Congress Alliance Seat Sharing Update | Lok Sabha Elections
લખનઉ5 કલાક પેહલા
- કૉપી લિંક
ઉત્તરપ્રદેશમાં આખરે સપા અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થઈ ગયું. પ્રદેશમાં 11 સીટ પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. અખિલેશે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. તેમણે લખ્યું- કોંગ્રેસ સાથે 11 મજબૂત સીટથી અમારા ગઠબંધનની સારી શરૂઆત થઈ રહી છે. આ સિલસિલો જીતના સમીકરણ સાથે વધુ આગળ વધશે.
તેમણે લખ્યું- ઇન્ડિયાની ટીમ અને PDAની રણનીતિ ઇતિહાસ બદલશે. આ પહેલાં સપા અને રાલોદમાં 7 સીટ પર ગઠબંધન થયું હતું. એટલે યુપીમાં ઇન્ડિયા ગઠબંધનમાં સપા, કોંગ્રેસ અને રાલોદની વચ્ચે સીટ પર સહમતી બની ગઈ છે.
યુપી કોંગ્રેસ-અધ્યક્ષ અજય રાયે કહ્યું- અખિલેશના ટ્વીટ પર કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય લેવાનો છે. હાલ બંને પાર્ટીઓ વચ્ચે પોઝિટિવ અને સારા વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે.
અખિલેશ યાદવનું ટ્વીટ.
આ પહેલાં 17 જાન્યુઆરીએ સપાના મહાસચિવ રામ ગોપાલ યાદવે દિલ્હીમાં કોંગ્રેસ સાથે બેઠક કરી હતી. સભામાંથી બહાર આવતાં રામ ગોપાલે કહ્યું, ‘અમે અડધો રસ્તો કવર કર્યો છે, બાકીનો અડધો રસ્તો પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે. રામ ગોપાલના આ નિવેદન બાદ એવા સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ અને સપા વચ્ચે સીટ વહેંચણીને લઈને વાતચીત થઈ ગઈ છે.
સપા 60 સીટ પર ચૂંટણી લડશે
આ પહેલાં 19 જાન્યુઆરીએ અખિલેશ યાદવે RLDને 7 સીટ આપવાની જાહેરાત કરી હતી. ત્યાં જ 1-1 સીટ અપના દળ કમેરાવાદી અને ચંદ્રશેખરની પાર્ટી આપી શકે છે. એવું માનવામાં આવે છે કે બાકી રહેલી 60 સીટ પર સપા ચૂંટણી લડશે.
આ તસવીર 26મી જાન્યુઆરીની છે. અખિલેશે કન્નૌજમાં પીડીએ યાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ખાટલા પર બેસીને ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.
કોંગ્રેસને અમેઠી, રાયબરેલી સહિત 11 બેઠક મળી શકે છે
રાજ્યની કઈ 11 બેઠક કોંગ્રેસને મળશે? એની માહિતી હજુ સામે આવી નથી. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વારાણસી, ગોરખપુર, મહારાજગંજ, પ્રયાગરાજ, ઝાંસી, કુશીનગર, ગાઝિયાબાદ, અમેઠી, રાયબરેલી, લખનઉ અને બાંસગાંવ કોંગ્રેસને આપવામાં આવી શકે છે.
યુપીમાં છેલ્લી 3 ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન
- 2009- કોંગ્રેસે 69 બેઠક પર ચૂંટણી લડીને 21 જીતી. આ ચૂંટણીમાં સપાએ 75 બેઠક પર ચૂંટણી લડી હતી અને 23 બેઠક પર અને બસપાએ 69 બેઠક પરથી 20 બેઠક જીતી હતી.
- 2014- કોંગ્રેસ 67 સીટ પર લડ્યા બાદ માત્ર બે સીટ જીતી શકી. સપા 75માંથી 5 સીટ પર અને બસપા 80 સીટ પર લડી હતી અને એકપણ સીટ જીતી શકી ન હતી.
- 2019- SP-BSPનું ગઠબંધન હતું. કોંગ્રેસે 67 બેઠક પર ચૂંટણી લડી અને માત્ર રાયબરેલી જીતી શકી. સપા 37 પર ચૂંટણી લડી 5 જીતી હતી. જ્યારે બસપાએ 38 બેઠક પર ચૂંટણી લડી હતી અને 10 પર જીત મેળવી હતી. રામપુર અને આઝમગઢ ગુમાવ્યા બાદ સપા પાસે હવે માત્ર ત્રણ સાંસદ છે.