કોલકાતા13 કલાક પેહલા
- કૉપી લિંક
આ ફૂટેજ સંદેશખાલીના છે, જ્યાં લોકો NIAની ટીમ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
શુક્રવારે રાત્રે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક અધિકારી પણ ઘાયલ થયા હતા. આ હુમલો મેદિનીપુર પૂર્વના ભૂપતિ નગરમાં થયો હતો.
કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર NIAની ટીમ ભૂપતિ નગરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ માટે પહોંચી હતી. પોલીસે 3 લોકો– બોલાઈ મૈતી, સમય મૈતી અને માનવદત્ત જાનાની ધરપકડ કરી છે
તે જ સમયે, ઉત્તર 24 પરગણાના સંદેશખાલીમાં લોકો NIA ટીમની સામે લાકડીઓ લઇને ઊભા થઇ ગયા. જ્યારે NIAની ટીમે આરોપીઓને ઝડપી લેવાનો પ્રયાસ કર્યો તો લોકોએ તેમનો વિરોધ કર્યો.
5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં EDની ટીમ પર હુમલો થયો હતો.
5 જાન્યુઆરીએ ED અને CRPFની ટીમો પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં TMC નેતાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આશરે 200 લોકોએ તપાસ એજન્સીનાં બે વાહનોમાં તોડફોડ કરી હતી. આમાં કેટલાક અધિકારીઓને માથામાં ઈજા થઈ હતી. EDએ કહ્યું હતું કે ટોળાએ અધિકારીઓના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ છીનવી લીધાં હતાં.
5 જાન્યુઆરીએ EDની ટીમ સંદેશખાલીમાં શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ત્યારબાદ ટોળાએ ટીમ પર હુમલો કર્યો, જેમાં ED અધિકારી ઘાયલ થયા.
ED પર હુમલાના કેસમાં શેખ શાહજહાંની ધરપકડ
ટીએમસીના પૂર્વ નેતા શેખ શાહજહાનની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. ED પર હુમલાના કેસમાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળ પોલીસે કહ્યું હતું કે શેખ ED અધિકારીઓ પર હુમલાના મુખ્ય આરોપીઓમાંનો એક હતો.
હુમલા બાદ શેખ 55 દિવસ સુધી ફરાર હતો. ધરપકડ બાદ કોર્ટે તેને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો હતો. આ પછી કોલકાતા પોલીસે ગુનાહિત તપાસ વિભાગ (CID)ને તપાસ સોંપી. શેખ શાહજહાં 14 માર્ચ સુધી CBI કસ્ટડીમાં હતો.
ધરપકડ બાદ શેખ શાહજહાંને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.