અયોધ્યા49 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ અયોધ્યાના ગર્ભગૃહમાં થવાની છે. 16 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ ગઈ છે. બનીને તૈયાર થઈ ગયેલા રામમંદિરને હવે સજાવવામાં આવી રહ્યું છે. 18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રામલલ્લાની નવી પ્રતિમા પણ પહોંચી જશે.
રામલલ્લાની 51 ઈંચ (4.25 ફૂટ)ની ઊભી પ્રતિમા છે. જે કમળના આસન ઉપર બિરાજમાન થશે. હાથમાં ધનુષ-બાણ છે. આસન મકરાનાના આરસપહાણથી બનેલું છે. તેના ઉપર 4 ફૂટ ઊંચું સિંહાસન રાખવામાં આવશે. જેના ઉપર રામલલ્લા બિરાજમાન થશે. આ સિંહાસન ઉપર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. મંદિરનું શિખર પણ સોનાનું રહેશે, પરંતુ આ કામ પ્રાણપ્રતિષ્ઠા બાદ કરવામાં આવશે.
એટલે, જ્યારે ગર્ભગૃહમાં ભક્ત દર્શન કરવા પહોંચશે ત્યારે આસન, સિંહાસન અને રામલલ્લાની પ્રતિમાની કુલ ઊંચાઈ લગભગ 11 ફૂટ હશે. સિંહાસન અને પ્રતિમાની કુલ ઊંચાઈ 8.25 ફૂટ છે. જ્યારે આસન 3 ફૂટનું છે. જોકે, આસાનની ઊંચાઈની જાણકારી ટ્રસ્ટ તરફથી મળી નથી.
રામમંદિર સામે એક પરિસર પણ બનાવવામાં આવ્યું છે. ત્યાંથી શ્રદ્ધાળુ ભગવાનનાં દર્શન માટે એન્ટ્રી કરશે. ભાસ્કરને રામમંદિરના 3 નવા વીડિયો મળ્યા છે. પહેલાં વીડિયોમાં 2 માળનું ભવ્ય રામમંદિર જોવા મળી રહ્યું છે. મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાતો જોવા મળે છે. મંદિરની અંદર પીળા રંગની લાઇટ લગાવવામાં આવી છે. લાઇટિંગમાં મંદિર એવું લાગી રહ્યું છે કે જાણે સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હોય.
બીજા વીડિયોમાં ગર્ભગૃહ જોવા મળી રહ્યું છે. સાથે જ ગર્ભગૃહનો સોનાનો દરવાજો. જે 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. ત્રીજા વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરની દીવાલો પર ભગવાન રામની ખૂબ જ ઝીણવટથી સુંદર પ્રતિમાઓ કોતરવામાં આવી છે. સાથે જ, રામાયણ સાથે જોડાયેલાં પ્રસંગ પણ કોતરવામાં આવ્યા છે.
વીડિયોના 5 ફુટેજ જુઓ…
આમાં જોઈ શકાય છે કે ફર્સ્ટ ફ્લોર બનીને તૈયાર થઈ ગયો છે.
આ વીડિયોમાં ગર્ભગૃહનું આસન, સોનાનો દરવાજો દેખાઇ રહ્યો છે. આ આસન પર રામલલ્લા બિરાજમાન થશે.
મંદિરના મુખ્ય હોલમાં મધ્યમ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે. દીવાલો ઉપર કોતરણી કરવામાં આવી છે.
દીવાલો અને છત પર ભગવાન રામ સાથે-સાથે દેવી-દેવતાઓની પ્રતિમાને કોતરવામાં આવી છે.
આ વીડિયો ગર્ભગૃહની બહારથી લેવામાં આવ્યો છે. થાંભલા પર દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે, સોનાના દરવાજા લાગી ગયા છે.
ફ્લોરિંગ માટે 50 હજાર સ્ક્વેર ફૂટ માર્બલનો ઉપયોગ થયો
મંદિરમાં માર્બલ ફ્લોરિંગનું કામ કરતી કંપની રાણા માર્બલ્સના માલિક ધર્મારામે કહ્યું “રાજસ્થાન ભાગ્યશાળી છે કે રામમંદિરમાં મકરાણાની ખાણોમાંથી સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના ફ્લોરિંગ ઉપરાંત કોતરકામનું કામ પણ રામમંદિરમાં થાય છે. ગર્ભગૃહ પણ અમારી કંપની દ્વારા કરવામાં આવ્યું છે. 35 MM જાડાઈના સફેદ માર્બલ સ્લેબ સ્થાપિત કરવામાં આવ્યા છે. સમગ્ર ફ્લોરિંગ માટે કુલ 50,000 સ્ક્વેર ફૂટ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.”
રામમંદિરમાં 46 દરવાજા લગાવવામાં આવશે
દરવાજા મહારાષ્ટ્રના સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવ્યાં છે. હૈદરાબાદના કારીગરોએ એના પર સોનાનો ઢોળ ચઢાવીને કોતરણીનું કામ કર્યું છે.
રામમંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. એમાંથી 42ને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. પગથિયાંની નજીક 4 દરવાજા હશે, જેના પર સોનાનું કોટિંગ નહીં હોય. આ દરવાજા મહારાષ્ટ્રના સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદના કારીગરોએ આના પર કોતરણીનું કામ કર્યું છે.
આ પછી એના પર તાંબાનું પડ લગાવવામાં આવ્યું. ત્યાર બાદ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. રામલલ્લાનું સિંહાસન પણ સોનાનું બનેલું છે. આ કામ પણ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મંદિરનું શિખર પણ સોનાનું બનશે, પરંતુ આ કામ પ્રાણપ્રતિષ્ઠા પછી કરવામાં આવશે.
ચરણ પાદુકાઓ 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીથી બનાવવામાં આવી છે
આ પાદુકાઓ એક કિલોગ્રામ સોના અને સાત કિલોગ્રામ ચાંદીમાંથી બનાવવામાં આવી છે.
મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા પછી તેમની ચરણ પાદુકાઓ પણ રાખવામાં આવશે. આ ચરણ પાદુકાઓ એક કિલો સોના અને સાત કિલો ચાંદીથી બનાવવામાં આવી છે. એને હૈદરાબાદના શ્રીચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંગળવારે સાંજે મંદિરની 3 તસવીરો જાહેર કરી હતી…