નવી દિલ્હી/ચેન્નઈ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં 75% ભારતીયોને હજુ પણ પૂરતું પાણી મળતું નથી.
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં ગંભીર જળસંકટનું જોખમ તોળાઈ રહ્યું છે. દેશના કૃષિ ક્ષેત્રમાં જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા સંબંધિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2050 સુધીમાં ભારતના 50%થી વધુ જિલ્લાઓમાં પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ શકે છે.
ડીસીએમ શ્રીરામ અને સત્વ નોલેજના સંશોધન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2050 સુધીમાં દેશમાં માથાદીઠ પાણીની માંગમાં 30% વધારો થવાની સંભાવના છે, જ્યારે દેશની વધતી જતી વસ્તી અને કારણે જળ સંસાધનોની કમીને કારણે માથાદીઠ પાણીની માંગ15% સુધી ઘટી શકે છે.
પાણીની વધતી માંગ અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે બેલેન્સ ખોરવાઈ જવાની સંભાવના છે. આ કારણોસર, 2050 સુધીમાં દેશના 50% જિલ્લાઓમાં પાણીની ગંભીર સંકટ ઉભું થઈ શકે છે.
પડકાર: કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ પાણીનો ઉપયોગ થાય છે
રિપોર્ટ અનુસાર દેશમાં જળ સંકટ પાછળ કૃષિ ક્ષેત્ર મુખ્ય કારણ છે. કૃષિપ્રધાન દેશ હોવાના કારણે દેશના કુલ પાણીના 80 થી 90% પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. આ પછી પાણીનો ઉપયોગ ઘરેલું વપરાશ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે થાય છે. આ વલણ 2025 થી 2050 સુધી ચાલુ રહેવાની ધારણા છે.
સલાહ: કાર્યક્ષમ સિંચાઈ દ્વારા પાણી બચાવવાની જરૂર છે
ત્રણ મુખ્ય પાક – ડાંગર, શેરડી અને ઘઉં – ભારતના કુલ પાક ઉત્પાદનમાં 90% હિસ્સો ધરાવે છે. દેશના મોટાભાગના ખેડૂતો સિંચાઈનો ઉપયોગ કરે છે, જેમાં પાણીનો ઉપયોગ કરવાની ક્ષમતા માત્ર 35% છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સિંચાઈના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો 20% પાણી બચાવી શકાય છે.
ટ્રાન્સફોર્મિંગ ક્રોપ કલ્ટિવેશનઃ એડવાન્સ્ડ વોટર એફિશિયન્સી ઇન ઈન્ડિયન એગ્રીકલ્ચરના રિપોર્ટ અનુસાર, ભારતમાં વિશ્વની 17% વસ્તી છે, પરંતુ આપણી પાસે વિશ્વના માત્ર 4% જ જળ સંસાધનો છે. માથાદીઠ પાણીની ઉપલબ્ધતાને માપતા ફ્લેન્કનમાર્ક ઇન્ડેક્સ મુજબ, માથાદીઠ 1700 ક્યુબિક મીટર કરતાં ઓછું પાણી ધરાવતા વિસ્તારોને જળ સંકટ ગ્રસ્ત માનવામાં આવે છે. આ ઈન્ડેક્સ મુજબ 76% ભારતીયો પાસે હજુ પણ પૂરતું પાણી નથી.
આ સમાચાર પણ વાંચો…
બેંગલુરુમાં પાણીની અછત, 3 હજાર બોરવેલ સુકાઈ ગયા
બેંગલુરુ શહેરમાં પાણીની તીવ્ર તંગી છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે માર્ચમાં કહ્યું હતું કે શહેરમાં 3 હજારથી વધુ બોરવેલ સુકાઈ ગયા છે, જેમાં તેમના ઘરનો બોર પણ સામેલ છે. તેમજ, શહેરના ટેન્કર માલિકો 5,000 લિટર માટે રૂ. 500ને બદલે રૂ. 2,000 વસૂલ કરી રહ્યા છે.