નવી દિલ્હી11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાઈ ચંદ્રચૂડ સોમવારે એક સુનવણી દરમિયાન વકીલના અંગ્રેજીમાં ‘ya..ya..’ કહેવા પર નારાજ થઈ ગયા. તેમણે વકીલને ઠપકો આપતા કહ્યું- આ કોઈ કોફી શોપ નથી. આ ‘ya..ya..’ શું છે. મને આનાથી ખૂબ જ એલર્જી છે. આની મંજૂરી આપી શકાય નહીં. તમે YES..બોલો.
ઠપકો સાંભળ્યા પછી વકીલે જણાવ્યું કે તે પુણેનો રહેવાસી છે. તે મરાઠીમાં દલીલ કરવા લાગ્યો. તેના પર CJIએ પણ મરાઠીમાં જ તેને સમજાવવાની કોશિશ કરી.
જોકે, અરજી પૂર્વ CJI રંજન ગોગોઈ વિરુદ્ધ ઇન હાઉસ તપાસની માગને લઇને કરવામાં આવી હતી. CJI ચંદ્રચૂડે વકીલને કેસમાંથી પૂર્વ CJI નું નામ હટાવવાનો આદેશ આપ્યો છે.
પહેલાં વકીલને અંગ્રેજી બોલવા પર ઠપકો પડ્યો
- એડવોકેટ: પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઈનો નિર્ણય વેલિડ ટર્મિનેશન હતો નહીં.
- CJI ચંદ્રચુડ: પણ શું આ કલમ 32ની અરજી છે? તમે એક જજને પક્ષકાર બનાવીને પીઆઈએલ કેવી રીતે દાખલ કરી શકો?
- એડવોકેટ: ‘ya..ya..’પછી CJI રંજન ગોગોઈએ મને ક્યુરેટિવ ફાઇલ કરવાનું કહ્યું.
- CJI ચંદ્રચુડઃ આ કોફી શોપ નથી! આ શું છે ‘ya..ya..’ મને તેની ખૂબ જ એલર્જી છે. આને મંજૂરી આપી શકાય નહીં.
ત્યારબાદ CJIએ વકીલને મરાઠીમાં સમજાવ્યું
- CJI ચંદ્રચુડ : (મરાઠીમાં) જજ આલા પાર્ટી કરત નહીં. તાસા કારણ હે. (તમે કોઈ જજને દોષી ઠેરવી શકતા નથી. કાયદામાં આ માટે એક પ્રક્રિયા છે.) જ્યારે તમે હાઈકોર્ટના નિર્ણયને પડકારો છો, ત્યારે તમે અહીં ન્યાયાધીશને દોષી ઠેરવતા નથી.
- એડવોકેટઃ મેં કાય કરત સાહેબ (મારે શું કરવું જોઈએ).
- CJI ચંદ્રચુડઃ તુમ્હાલે સુજત નહીં (તમે મારી વાત બિલકુલ સમજી રહ્યા નથી)
- CJI ચંદ્રચુડઃ શું તમે અપીલમાંથી જસ્ટિસ ગોગોઈનું નામ હટાવી દેશો?
- વકીલ: હો હો (હા..હા..) હું તે કરીશ.
- CJI ચંદ્રચુડ: ઠીક છે તમે પહેલા તેને હટાવો પછી આપણે જોઈશું.
પૂર્વ CJI રંજન વિરુદ્ધ 2018માં અરજી દાખલ કરવામાં આવી હતી પૂર્વ CJI વિરુદ્ધ મે 2018માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂર્વ CJI ગોગોઈએ ગેરકાનૂની નિવેદનના આધારે તેમના પદ પરથી હટાવવાને પડકારતી અરજી ખોટી રીતે ફગાવી દીધી હતી. તેમના નિર્ણયમાં કાયદાની મોટી ભૂલો હતી.
સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડે કહ્યું કે સાચું કે ખોટું, સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય આવી ગયો છે. રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી છે. હવે તમારે ક્યુરેટિવ ફાઇલ કરવું પડશે. પરંતુ તમે તે કરવા માંગતા નથી.
સીજેઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યારે હાઈકોર્ટના કોઈ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે ત્યારે આ કેસમાં નિર્ણય આપનાર હાઈકોર્ટના જજને પક્ષકાર બનાવવામાં આવતો નથી.
CJI ચંદ્રચુડે આ પહેલા સુનવણી દરમિયાન વકીલને ઠપકો આપ્યો હતો
CJIનો ઠપકો-એક દિવસ અહીં બેસો, જીવ બચાવવા ભાગશો
શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજી માટે વારંવાર તારીખ માંગવા પર CJI DY ચંદ્રચુડે વકીલને કહ્યું- એક દિવસ અહીં બેસીને જુઓ. તમે તમારો જીવ બચાવવા દોડશો. NCP (SP) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ની બે અલગ-અલગ અરજીઓ માટે તારીખો નક્કી કરતી વખતે ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરના શિંદે જૂથને અસલી શિવસેના જાહેર કરવામાં આવી હતી. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ તેની સામે અરજી દાખલ કરી છે. તે જ સમયે, NCP (શરદ જૂથ) એ અજિત જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કરવાના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો
CJIએ કહ્યું- વકીલ સાહેબ ધીમે બોલો, નહીંતર બહાર કાઢી મૂકીશ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ એક વકીલ પર ગુસ્સે થઈ ગયા. વકીલ પીટીશનની યાદી અંગે સીજેઆઈ સાથે જોરથી વાત કરી હતી. તેના પર ચંદ્રચુડે વકીલને ઠપકો આપતા કહ્યું – તમારે નીચા અવાજમાં વાત કરવી જોઈએ, નહીં તો હું તમને કોર્ટમાંથી બહાર કાઢી નાખીશ.
CJIએ વકીલને કહ્યું- એક સેકન્ડ, પહેલા તમારો અવાજ નીચો કરો. તમે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહીને તમારા વિચારો વ્યક્ત કરી રહ્યા છો. જો તમને લાગે છે કે તમે જોરથી બોલીને કોર્ટને ડરાવી શકો છો તો તમે ખોટા છો. મારી 23 વર્ષની કારકિર્દીમાં ક્યારેય મારી સાથે આ રીતે કોઈએ વાત કરી નથી. મારી કરિયરના બાકીના એક વર્ષમાં પણ હું આવું નહીં થવા દઉં. સંપૂર્ણ સમાચાર વાંચો…