મુંબઈ44 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવું લાગતું હતું, પરંતુ બાદમાં મીડિયા અને વિપક્ષી પક્ષોના દબાણને કારણે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. હવે સીબીઆઈના અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા જણાવવામાં આવ્યું છે.
આ કેસમાં, સીબીઆઈએ 6 ઓગસ્ટ 2020ના રોજ એફઆઈઆર નોંધી હતી, હવે 4 વર્ષ 6 મહિના અને 15 દિવસ પછી, સીબીઆઈએ અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં તપાસ એજન્સીએ કહ્યું છે કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા મળ્યા નથી.
સીબીઆઈએ બે કેસની તપાસ કરી હતી…
- સુશાંતના પિતા કેકે સિંહની રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી અને મની લોન્ડરિંગની ફરિયાદ.
- રિયા ચક્રવર્તીની ફરિયાદ, જેમાં તેણે સુશાંતના પરિવાર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.
મેનેજર દિશા સલિયનનું પણ અવસાન થયું સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા, 8 જૂન, 2020ના રોજ, તેની મેનેજર દિશા સલિયનનું મુંબઈના મલાડમાં એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. આ બંને મૃત્યુ શંકાસ્પદ માનવામાં આવ્યા હતા.