- Gujarati News
- National
- Congress President Kharge Said PM Has No Right To Call Congress As Urban Naxals Who Are Involved In Lynching.
નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને આતંકવાદીઓની પાર્ટી કહી છે. ખડગે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં PMએ કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી ગણાવી હતી.
ખડગેએ કહ્યું હતું કે PM મોદીને હંમેશાં કોંગ્રેસને અર્બન નક્સલ પાર્ટી કહેવાની આદત છે, પરંતુ તેમનો પક્ષ શું છે? ભાજપ આતંકવાદીઓની પાર્ટી છે, જે લિંચિંગમાં સામેલ છે. મોદીને આવા આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.
વડાપ્રધાન મોદીએ 5 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે થાણેમાં કહ્યું હતું કે ‘કોંગ્રેસ અને તેના સહયોગીઓનું એક જ મિશન છે. ભાગલા પાડો અને સત્તામાં રહો. કોંગ્રેસ અર્બન નક્સલી ગેંગ દ્વારા ચલાવવામાં આવે છે. તે રાષ્ટ્રવિરોધીઓ સાથે ઊભી છે.’
ખડગેએ 4 મુદ્દા પર જવાબ આપ્યો
- અર્બન નક્સલઃ કોંગ્રેસ-અધ્યક્ષે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં અર્બન નક્સલ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વિકાસ કરનારાઓને અર્બન નક્સલ કહેવામાં આવી રહ્યા છે. આ મોદીની આદત છે. તેમનો પોતાનો પક્ષ આતંકવાદીઓનો છે. લિંચિંગ કરે છે, લોકોને મારે છે. શિડ્યૂલ્ડ કાસ્ટના લોકો પર પેશાબ કરે છે. આદિવાસીઓ પર બળાત્કાર કરે છે. જેઓ આમ કરે છે તેમને પણ તે સપોર્ટ કરે છે. તેઓ બીજાઓ પર આરોપ મૂકે છે. તેમને આમ કરવાનો કોઈ અધિકાર નથી. જ્યાં પણ તેમની સરકાર છે ત્યાં અનુસૂચિત જાતિ ખાસ કરીને આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ પછી તેઓ અત્યાચારની વાતો કરતા રહે છે. તે તમારી સરકાર છે, તમે તેને નિયંત્રિત કરો છો.
- મોહન ભાગવતનું નિવેદનઃ જે પાર્ટીનો ઉદ્દેશ દેશના ભાગલા પાડવાનો છે તેના સમર્થકો દેશમાં જ છે. સંઘના વડા ભગવતજી છે. બંધારણ બદલવાનું હોય, અનામતની વાત હોય, હિન્દુ-મુસ્લિમને અલગ કરવાની વાત હોય. આ તે લોકો છે જેઓ એ કરી રહ્યા છે અને અન્ય લોકો સાથે તેમની શાણપણ શેર કરી રહ્યા છે.
- હરિયાણા ચૂંટણીઃ હરિયાણા ચૂંટણી પર ખડગેએ કહ્યું હતું કે અમે એક બેઠક યોજવાના છીએ અને રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર થયા બાદ શું કરવું જોઈએ અને શું થયું એ સ્પષ્ટ થશે. આખો દેશ કહેતો હતો કે કોંગ્રેસ જીતશે. ભાજપના નેતાઓ પણ આવું જ કહેતા હતા. જ્યારે બધા કોંગ્રેસની જીતની વાત કરી રહ્યા હતા, તો પછી શું કારણ હતું કે કોંગ્રેસ ત્યાં હારી ગઈ.
- બાંગ્લાદેશ: કોઈપણ દેશે બીજા દેશના લોકો પર અત્યાચાર ન કરવો જોઈએ. અમે જે રીતે કરીએ છીએ એ રીતે લઘુમતીઓનું રક્ષણ કરવાની જવાબદારી તેમની છે. ત્યાંની તમામ લઘુમતીઓ, હિંદુ, મુસ્લિમ, શીખ અને બૌદ્ધની રક્ષા થવી જોઈએ. જો તમે આવું નહીં કરો તો એ પાડોશી દેશો માટે સારું નથી.
નડ્ડાએ કહ્યું હતું- રાહુલ ગાંધી અર્બન નક્સલની ભાષા બોલે છે 5 ઓક્ટોબરે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસ એવી પાર્ટી છે, જે આઝાદીની લડાઈ લડવા આવી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે સ્વતંત્રતા સંગ્રામ પછી કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી દેવી જોઈએ, પરંતુ સત્તાના લોભને કારણે તમે કોંગ્રેસ પાર્ટી ચલાવતા રહ્યા અને તમારી યાત્રા ડાબેથી જમણે, જમણેથી ડાબે બદલાઈ ગઈ. આજકાલ રાહુલ ગાંધી અર્બન નક્સલીઓ અને દેશના ભાગલા પાડનારાઓની ભાષા બોલવા લાગ્યા છે.
આ સમાચાર પણ વાંચો…
PM મોદીએ કહ્યું- નવરાત્રિમાં જીતના આશીર્વાદ મળ્યા: હરિયાણામાં ભાજપે કમાલ કરી; કોંગ્રેસની પોલ ખૂલી, તેઓ જાતિવાદનું ઝેર ફેલાવી રહ્યા છે
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠક કબજે કર્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠક મળી છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…
‘હિન્દુઓએ એકજૂટ રહેવું પડશે’:ભાગવતે કહ્યું- ભારત હિંદુ રાષ્ટ્ર છે, મતભેદો ભૂલી જવા પડશે; મોદી-યોગીએ પણ કહ્યું- ભાગલા થશે તો નુકસાન થશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે હિન્દુઓને એક થવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું- હિંદુ સમાજે મતભેદો અને વિવાદોને ખતમ કરીને સાથે આવવું જોઈએ. સંઘ-પ્રમુખ શનિવારે સાંજે રાજસ્થાનના બારનમાં સ્વયંસેવકોને સંબોધન કરી રહ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો…