સિહોર20 મિનિટ પેહલા
- કૉપી લિંક
મધ્યપ્રદેશના સીહોરના કુબેરેશ્વર ધામમાં ત્રણ દિવસમાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે બેભાન સ્થિતિમાં મળેલી એક મહિલાને જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી છે. કોતવાલી થાના પોલીસ સ્ટેશનને જાણકારી મોકલવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી પ્રમાણે, મહિલાનું નામ મંજૂ (55) છે. તે કુબેરેશ્વર ધામમાં ચાલી રહેલાં રૂદ્રાક્ષ મહોત્સવમાં કથા સાંભળવા માટે ગુજરાતથી આવી હતી. તેની સાથે કોણ હતું અને તે ગુજરાતમાં ક્યાની રહેવાસી છે, તેની હાલ કોઈ જાણકારી મળી નથી.
આ પહેલાં કુબેરેશ્વર ધામમાં રવિવારે ગોલૂ કોષ્ટા (25)નું મોત થયું હતું. તે જબલપૂરનો રહેવાસી હતો. ગોલૂના સંબંધી રાહુલ કોષ્ટાએ જણાવ્યું કે તે પોતાના ચાર સાથીઓ સાથે કથા સાંભળવા પહોંચ્યો હતો. ભારે ગરમીના કારણે તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. શનિવારે ધામમાં કાનપુરથી આવેલાં વિજેન્દ્રએ અંતિમ શ્વાસ લીધો હતો.

મંજુને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી.
CMએ કહ્યું- દારૂની જગ્યાએ દૂધની દુકાનો ખોલવામાં આવે
કુબેરેશ્વર ધામમાં સાત દિવસના રૂદ્રાક્ષ મહોત્સવની શરૂઆત 25 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. આજે તેનું સમાપન આજે થવાનું છે. જેમાં સામેલ થવા માટે સીએમ ડો. મોહન યાદવ પણ પહોંચ્યા છે. તેમણે મંચ પર પહોંચીને પંડિત પ્રદીપ મિશ્રા પાસેથી આશીર્વાદ લીધા. પછી શ્રદ્ધાળુઓને સંબોધિત કર્યા.
મુખ્યમંત્રીએ કહ્યું- હું કહેવા ઇચ્છું છું કે કુપોષણ મહિલા બાળ વિકાસ વિભાગની યોજનાઓથી નહીં પરંતુ ગાય પાલનથી દૂર થશે. મારું માનવું છે કે દારૂની દુકાનોની જગ્યાએ દૂધની દુકાનો ખોલવામાં આવવી જોઈએ.
તેમણે કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે શિપ્રા નદી એક મોસમી નદી છે અને માર્ચ મહિનામાં જ સુકાઈ જાય છે.’ પણ હું ખાતરી આપવા માંગુ છું કે જ્યારે આગામી સિંહસ્થ થશે, ત્યારે અમે એવી વ્યવસ્થા કરીશું કે લોકો ફક્ત શિપ્રાના પાણીમાં જ સ્નાન કરે.
કુબેરેશ્વર ધામમાં રોજ એક કન્યાના મફતમાં લગ્ન રૂદ્રાક્ષ મહોત્સવ દરમિયાન છેલ્લાં 6 દિવસમાં લગભગ 30 લાખ લોકો કુબેરેશ્વર ધામ આવી ગયા છે. અહીં શિવપુરાણ કથા સાથે એક કરોડ રૂદ્રાક્ષ અભિમંત્રિત કરવામાં આવ્યા છે. ધામની વિઠ્ઠલેશ સેવા સમિતિના જણાવ્યા પ્રમાણે, ધામમાં રોજ લગભગ 10 લાખ લોકો કથા સાંભળવા આવી રહ્યા છે. સમિતિએ શનિવારે ઘોષણા કરી છે કે અહીં દરરોજ એક કન્યાના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવશે. પં. પ્રદીપ મિશ્રાએ કહ્યું-

વિઠ્ઠલેશ સેવા સમિતિ તરફથી ધામ પર દરરોજ એક કન્યાના લગ્ન કરાવવામાં આવશે. આ પ્રકારે સમિતિ વર્ષભરમાં 365 યુવતીઓના લગ્ન કરાવશે.

સીએમ ડૉ. મોહન યાદવ શિવપુરાણ કથા સાંભળવા માટે કુબેરેશ્વર ધામ પહોંચ્યા હતા
પંડિત મિશ્રાની કથા સાંભળવા માટે પરિવાર અમેરિકાથી આવ્યો શિવપુરાણ કથા સાંભળવા માટે અમેરિકાથી પણ એક પરિવાર કુબેરેશ્વર ધામ પહોંચ્યો છે. તેમણે જણાવ્યું કે પંડિત પ્રદીપ મિશ્રા જ્યાં જાય છે, તે પણ કથા સાંભળવા ત્યાં પહોંચે છે. અહીં કથા સમાપ્ત થાય ત્યાં સુધી તેઓ ધામની પાસે આવેલી એક હોટલમાં રોકાયા છે.

વિઠ્ઠલેશ સેવા સમિતિના જણાવ્યા અનુસાર, દરરોજ 10 લાખ લોકો કુબેરેશ્વર ધામ પહોંચી રહ્યા છે.
રોજ 50 ક્વિન્ટલ રોટલી, 40 ક્વિંટલ ખીચડી બની રહી છે રૂદ્રાક્ષ મહોત્સવ દરમિયાન કુબેરેશ્વર ધામમાં કથા સ્થળ પર રોજ 50 ક્વિન્ટલથી વધારે રોટલી, 20 ક્વિન્ટલ ફરસાણ અને 40 ક્વિન્ટલથી વધારે ખીચડી બની રહી છે. 20 ક્વિન્ટલ ચોખા, 10 ક્વિન્ટલ મીઠી બુંદી, દહીની ઠંડાઈ અને લીંબૂ પાણી પણ આપવામાં આવી રહ્યું છે.

કુબેરેશ્વર ધામમાં દરરોજ 50 ક્વિન્ટલથી વધુ રોટલી અને 40 ક્વિન્ટલથી વધુ ખીચડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.