4 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પૂ યાદવે હાલમાં જ લોરેન્સ બિશ્નોઈને લઈને નિવેદન આપ્યું હતું. પપ્પૂ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘જો કાયદો મંજૂરી આપશે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા ગુનેગારના સમગ્ર નેટવર્કને ખતમ કરી દઈશ.’
- પપ્પૂ યાદવના આ નિવેદન બાદ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ વીડિયોમાં પપ્પૂ યાદવ રડતો જોવા મળી રહ્યો છે.
- ઘણા વેરિફાઈડ અને નોન વેરિફાઈડ યુઝર્સે X પર આ વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે પપ્પૂ યાદવે નિવેદન આપ્યું હતું પરંતુ હવે તે લોરેન્સ બિશ્નોઈના ડરથી રડી રહ્યા છે અને માફી માંગી રહ્યા છે.
વેરિફાઇડ એક્સ યૂઝર KPએ વાઇરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- આ છે સાંસદ પપ્પૂ યાદવ…ગઈ કાલે બિશ્નોઈ ગેંગને ખતમ કરવાની વાત કરી રહ્યા હતા અને આજે રડી રહ્યા છે. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
કૌશલ બંસલ નામના એક્સ યુઝરે પોતાના ટ્વીટમાં લખ્યું- સવારે તો મોટી મોટી વાતો કરતા પપ્પૂ યાદવ. કહેતા હતા કે 24 કલાકમાં બિશ્નોઈને ખતમ કરી દઈશ, માત્ર 4 કલાકમાં જ બધી વાતો ફુસ્સ થઈ ગઈ. હવે રડતા-રડતા કહી રહ્યા છે મારાથી ભૂલ થઈ ગઈ. પપ્પૂ યાદવજીએ આખરે પોતાને પપ્પૂ સાબિત કરી જ દીધા. ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
વેરિફાઇડ એક્સ યૂઝર રવિન્દ્ર પરમારે પણ પપ્પૂ યાદવના વાઇરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું- સવારે કહી રહ્યા હતા મને 24 કલાક આપો બિશ્નોઈને ખતમ કરી દઈશ અને 4 કલાકમાં જ રડતા રડતા માફી માગી રહ્યા છે પપ્પૂ યાદવ ( આર્કાઇવ ટ્વિટ )
ટ્વિટ જુઓ:
- કેટલાક અન્ય યુઝર્સે પણ આવો જ દાવો કર્યો છે, જેની ટ્વીટનું આર્કાઇવ વર્ઝન તમે અહીં જોઈ શકો છો.
શું છે વાઇરલ વીડિયોનું સત્ય?
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે પપ્પૂ યાદવનો રડવાનો આ વીડિયો આજકાલનો નથી પરંતુ વર્ષ 2018નો છે. તપાસ દરમિયાન અમને 6 સપ્ટેમ્બર 2018 ના રોજ સિટી પોસ્ટ લાઇવ નામની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વિડિયો મળ્યો. વીડિયોમાં પપ્પૂ યાદવે જણાવ્યું કે નારી બચાવો પદયાત્રામાં મધુબની જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની જાતિ વિશે પૂછવા પર કાર્યકરોને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. આ દરમિયાન પપ્પૂ યાદવ ભાવુક જોવા મળ્યા હતા.
વિડિયો જુઓ:
તપાસ દરમિયાન, અમને આ ઘટના અંગે પપ્પૂ યાદવ દ્વારા કરાયેલ એક ટ્વિટ પણ મળ્યું.
ટ્વિટ જુઓ:
તે જ સમયે અમને આજતક વેબસાઇટ પર આ ઘટના સાથે સંબંધિત સમાચાર મળ્યા. 06 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રકાશિત આ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે પપ્પૂ યાદવે મુઝફ્ફરપુરમાં ગર્લ્સ હોમની ઘટના સામે મહિલાઓની સુરક્ષા માટે મધુબનીથી પટના સુધી પદયાત્રાની જાહેરાત કરી હતી. તેથી પપ્પૂ યાદવ મધુબની જઈ રહ્યા હતા પરંતુ તે દરમિયાન ભારત બંધના સમર્થકોએ તેમના કાફલા પર હુમલો કર્યો. યાદવે એમ પણ કહ્યું કે જો તેની સાથે કોઈ સુરક્ષાકર્મી ન હોત તો તેમને મારી નાખવામાં આવ્યા હોત. (લેખની આર્કાઇવ લિંક )
લેખનો સ્ક્રીનશોટ:
- જેથી સ્પષ્ટ છે કે પપ્પૂ યાદવ વિશે સોશિયલ મીડિયા પર જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે. પપ્પૂ યાદવનો રડવાનો આ વીડિયો આજનો નથી પરંતુ વર્ષ 2018નો છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો