3 મિનિટ પેહલા
- કૉપી લિંક
યોગી આદિત્યનાથ
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા અને મંચ પરથી સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.
ગોવિંદદેવગીરીજી મહારાજ
આજનો દિવસ કૃતજ્ઞતાથી ભરેલો છે. રાષ્ટ્ર અને વિશ્વ આજે અલૌકિક ક્ષણના સાક્ષી છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા નથી પણ દેશના સ્વાભિમાનની ગરિમા છે. વર્ષોથી આ ક્ષણ માટે રાહ જોતા હતા. કોઈ એક વિભૂતિના કારણે યુગ પરિવર્તિત થઈ જાય છે. આવા જીવન સાધક પ્રધાનમંત્રીજી મળ્યા છે. આ માત્ર આ દેશનું નહીં, વિશ્વનું સૌભાગ્ય છે કે આપણને રાજદર્શી પ્રાપ્ત થયા. મને એ વાતનું આશ્ચર્ય થયું કે, પ્રાણ પ્રતિષ્ઠા માટે પોતે શું શું સિદ્ધ કરવું પડે, તેની નિયમાવલી માકલો. આવી વાત બહુ સારી કહેવાય. અમે ત્રણ દિવસના ઉપવાસ કરવાનું કહેલું પણ એમણે 11 દિવસના પૂર્ણ ઉપવાસ કર્યા.
ગોવિંદદેવગીરીજી મહારાજે 11 દિવસના ઉપવાસ પૂર્ણ કરીને પારણાં કરાવ્યા હતા.
યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રામોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રીજીનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરું છું. 500 વર્ષોથી વધારે રાહ જોયા પછી આજે અંતરમનની ભાવના એવી છે જેને વ્યક્ત કરવા શબ્દો નથી. મન ભાવવિહવળ છે. આજના ઐતિહાસિક દિવસે દરેક માર્ગ રામ મંદિર તરફ આવી રહ્યો છે.દરેકના મુખમાં રામ નામ છે. મનમાં છે. રોમ-રોમમાં રામ છે. રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે આપણે ત્રેતાયુગમાં આવી ગયા છીએ.
(આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે)