બાંદા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મુખ્તારને જેલમાંથી રાત્રે 8.25 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડૉક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક બેભાન થઈ ગયો હતો. આજે 3 ડોક્ટરોની પેનલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. મુખ્તારને આજે ગાઝીપુરના કાલી બાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી શકે છે.
બીજી તરફ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તે જ સમયે, મઉ અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરે પણ સતર્ક રહેવા સૂચના આપી છે.
આ પહેલા મંગળવારે મુખ્તારની તબિયત બગડી હતી. તેમને 14 કલાક હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ રજા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મુખ્તારના ભાઈ અફઝલે દાવો કર્યો હતો કે તેને સ્લો પોઈઝન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મુખ્તારના પુત્ર ઉમરે પણ દાવો કર્યો હતો કે મુખ્તારને 19 માર્ચે ડિનરમાં ઝેર આપવામાં આવ્યું હતું.
મુખ્તાર અંસારી 2005થી સજા કાપી રહ્યો હતો. તેને અલગ-અલગ કેસમાં બે વખત આજીવન કેદની સજા થઈ હતી.
આ ફૂટેજ મુખ્તારને બાંદા જેલમાંથી રાની દુર્ગાવતી મેડિકલ કોલેજ લવાયો એ સમયના છે.
લાઈવ અપડેટ્સ
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
એમ્બ્યુલન્સ પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચી, ડ્રાઈવરે કહ્યું- 7થી 8 કલાકમાં ગાઝીપુર પહોંચીશુ
મુખ્તાર અંસારીના મૃતદેહને લેવા માટે એમ્બ્યુલન્સ બાંદાના પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચી છે. ડ્રાઇવર મનોજે કહ્યું કે અમે 7 થી 8 કલાકમાં બાંદાથી ગાઝીપુર પહોંચીશું. એમ્બ્યુલન્સમાં 4 થી 5 લોકો બેસી શકે છે.
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહે કહ્યું- મેં મુખ્તાર પર POTA લગાવ્યો હતો
પૂર્વ ડીએસપી શૈલેન્દ્ર સિંહે કહ્યું કે, 20 વર્ષ પહેલા 2004માં મુખ્તાર અન્સારીનું સામ્રાજ્ય ચરમસીમા પર હતું. જ્યાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તે વિસ્તારોમાં તે ખુલ્લી જીપમાં ફરતો હતો. તે સમયે મેં એક લાઇટ મશીનગન જપ્ત કરી હતી, મેં મુખ્તાર પર POTA લગાવ્યો હતો, પરંતુ મુલાયમ સરકાર તેમને કોઈપણ ભોગે બચાવવા માંગતી હતી. તેમણે અધિકારીઓ પર દબાણ કર્યું, આઈજી-રેન્જ, ડીઆઈજી અને એસપી-એસટીએફની બદલી કરવામાં આવી, મને 15 વર્ષની અંદર રાજીનામું આપવા મજબુર કરાયો હતો. પણ મેં મારા રાજીનામામાં મારું કારણ લખ્યું અને જનતા સમક્ષ જણાવ્યું કે આ એ જ સરકાર છે જેને તમે ચૂંટી, જે માફિયાઓને રક્ષણ આપી રહી છે અને તેમના આદેશ પર કામ કરી રહી છે.
38 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુખ્તાર અંસારીના મૃતદેહના પંચનામાની કાર્યવાહી શરુ, અધિકારી અને પુત્ર ઓમર હાજર
બાંદા મામલતદાર, નાયબ મામલતદાર, ACP અને વરિષ્ઠ અધિકારીઓ પોસ્ટમોર્ટમ હાઉસની અંદર હાજર છે. મુખ્તારનો પુત્ર ઓમર અંસારી પણ પોસ્ટમોર્ટમ હાઉસમાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલ મુખ્તારના મૃતદેહના પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પોસ્ટમોર્ટમ કયા સમયે થશે.
42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝીપુરથી રિપોર્ટર અમરમણિ ત્રિપાઠીનો રિપોર્ટ
43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના ઘરથી કબ્રસ્તાન 400 મીટર દૂર છે.
ગાઝીપુરનું કાલીબાગ કબ્રસ્તાન મુખ્તાર અંસારીના ઘરથી લગભગ 400 મીટર દૂર છે. મુખ્તારને આ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવનાર છે. અહીં સાફ-સફાઈ શરૂ થઈ ગઈ છે.
44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝીપુરમાં મુખ્તારના ઘરે સમર્થકો અને સંબંધીઓ પહોંચ્યા
ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના ઘરે તેમના સમર્થકો અને સંબંધીઓ આવવા લાગ્યા છે. અહીં પોલીસ પણ તહેનાત છે.
47 મિનિટ પેહલા
- કૉપી લિંક
મુખ્તાર અંસારીના પુત્ર ઉમર બાંદાના પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચ્યો
શુક્રવારે મુખ્તારનો પુત્ર ઉમર અંસારી બાંદાના પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચ્યો હતો. મુખ્તારનું પોસ્ટમોર્ટમ થોડા સમય પછી શરૂ થઈ શકે છે. જો કે પોસ્ટમોર્ટમને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
55 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના સુપુર્દ-એ-ખાક કરવાની તૈયારીઓ શરૂ
ગાઝીપુરના કાલી બાગ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીના પાર્થિવ દેહના સુપુર્દ-એ-ખાક કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
03:21 AM29 માર્ચ 2024
- કૉપી લિંક
BSP ચીફ માયાવતીએ કહ્યું- મુખ્તાર અંસારીના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી છે
01:35 AM29 માર્ચ 2024
- કૉપી લિંક
અબ્બાસના વકીલે કહ્યું- અમે કોર્ટને અરજી પર તાત્કાલિક સુનાવણી માટે વિનંતી કરીશું
કાસગંજ જેલમાં બંધ મુખ્તારનો પુત્ર અબ્બાસ અંસારી આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે તે મુખ્તારના જનાજામાં સામેલ થવા માટે પેરોલ માંગશે. અબ્બાસના વકીલના જણાવ્યા અનુસાર અમે કોર્ટને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરીશું.
01:31 AM29 માર્ચ 2024
- કૉપી લિંક
3 ડોક્ટરોની પેનલ મુખ્તારનું પોસ્ટમોર્ટમ કરશે
બાંદાના પોસ્ટમોર્ટમ હાઉસની બહાર પેરા મિલિટરી ફોર્સના જવાનો તૈનાત છે. મુખ્તારનું પંચનામુ સવારે 8 કલાકે કરવામાં આવશે. આ પછી 3 ડોક્ટરોની પેનલ મુખ્તારનું પોસ્ટમોર્ટમ કરશે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને રોડ માર્ગે ગાઝીપુર લાવવામાં આવશે.