ગુવાહાટી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
આસામના સિલચરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) ના એક આસિસ્ટન્ટ પ્રોફેસરની શુક્રવારે એક વિદ્યાર્થિની પર જાતીય અડપલાં કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ઓળખ કોટેશ્વર રાજુ ધેનુકોંડા તરીકે થઈ છે. પીડિતાની ફરિયાદ પર પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પીડિતાની વિદ્યાર્થીની ફરિયાદ મુજબ,

પ્રોફેસરે મને તેમની પાસે બેસવાનું કહ્યું અને પૂછ્યું કે મારા માર્ક્સ કેમ ઓછા આવ્યા. તેમણે મારો હાથ પકડીને મારી આંગળીઓને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. પછી તેમણે ધીમેથી મારા સાથળ પર હાથ ફેરવ્યો. પછી તેમણે મારી સામે તેમના કમ્પ્યુટર પર અશ્લીલ ગીતો વગાડ્યા. મારા પેટને સ્પર્શ કર્યો. હું રડવા લાગી પણ તેઓ અકટ્યાં નહીં. તેમણે મને પગ ફેલાવીને બેસવાનું કહ્યું. આ પછી તેમણે પાછળથી મારી ગરદન પકડી લીધી.
પીડિત વિદ્યાર્થિનીએ કહ્યું કે પ્રોફેસરના ચેમ્બરની બહાર રાહ જોઈ રહેલાં મારા મિત્રએ મને ફોન કર્યા પછી હું ભાગી ગઈ

સંસ્થાને આપેલી લેખિત ફરિયાદમાં, વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે પ્રોફેસરે તેને તેના ઓછા ગ્રેડ અંગે ચર્ચા કરવા માટે તેની ચેમ્બરમાં બોલાવી હતી.
જે ચેમ્બરમાં ઘટના બની હતી તે ચેમ્બરને સીલ કરી દેવામાં આવ્યું હતું આ ઘટના 20 માર્ચના રોજ બની હતી. આરોપી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર હતો. સંસ્થાને આપેલી લેખિત ફરિયાદમાં, વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે પ્રોફેસરે તેને તેના ઓછા ગ્રેડ અંગે ચર્ચા કરવા માટે તેમની ચેમ્બરમાં બોલાવી હતી.
કોલેજના જણાવ્યા અનુસાર, જે ચેમ્બરમાં ઘટના બની હતી તેને સીલ કરી દેવામાં આવી છે. પીડિતાને સુરક્ષિત અને આરામદાયક અનુભવાય તે માટે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ મામલો તપાસ માટે સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ને મોકલવામાં આવ્યો છે.
આરોપી પ્રોફેસર સામે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના 2 ફોટા…

ગુરુવારે સાંજે NIT સિલચરના વિદ્યાર્થીઓએ આરોપી પ્રોફેસરની ધરપકડની માંગણી સાથે પ્રદર્શન કર્યું.

આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આરોપી પ્રોફેસરે પોલીસને ગેરમાર્ગે દોરી હતી કછારના SP નુમલ મહત્તાએ કહ્યું કે પોલીસ જ્યારે આરોપી પ્રોફેસરને પકડવા ગઈ ત્યારે તેણે પોતાને સંતાડવાની કોશિશ કરી. પ્રોફેસરે ક્વાર્ટરનો દરવાજો બહારથી બંધ કરી દીધો, પરંતુ અમે તેના મોબાઈલ ફોનના લોકેશન અંગે જાણ કરી અને શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે તેની ધરપકડ કરી લીધી.
કોલેજે કહ્યું- પીડિત વિદ્યાર્થિનીને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે
આ મામલે નોટિસ જારી કરવામાં આવી છે. નોટિસમાં રજિસ્ટ્રાર આશિમ રાયે જણાવ્યું હતું કે પીડિત વિદ્યાર્થિનીને સુરક્ષિત અને આરામદાયક અનુભવવા માટે તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રાયે એમ પણ કહ્યું કે આ મામલો તપાસ માટે સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ને મોકલવામાં આવ્યો છે.
અગાઉના દિવસે NIT સિલચરના ડિરેક્ટર દિલીપ કુમાર બૈદ્યએ આ બાબતે એક બેઠક બોલાવી હતી. તેમણે શુક્રવારે કહ્યું કે પરિસ્થિતિ હવે સામાન્ય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સવારે 4 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાથી આજે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી.

શુક્રવારે કોલેજ પ્રશાસન દ્વારા એક નોટિસ જારી કરવામાં આવી હતી.