નવી દિલ્હીઅમુક પળો પેહલા
- કૉપી લિંક
વાયનાડમાં ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધી રોડ શો કર્યો છે. રાહુલ ગાંધી પણ હાજર છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. નોમિનેશન પહેલા તેઓ રોડ શો કર્યો છે. પ્રિયંકા સાથે રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ હાજર છે. રોડ શો બાદ પ્રિયંકા ફોર્મ ભરશે. પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીની રાયબરેલી લોકસભા બેઠક પરથી જીત્યા હતા. બાદમાં તેમણે ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી પસંદ કરી અને વાયનાડ છોડી દીધી.
15 ઓક્ટોબરે બપોરે ચૂંટણી પંચે 13 રાજ્યોમાં 47 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં કેરળની વાયનાડ લોકસભા સીટ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટોનો સમાવેશ થાય છે.
કેરળમાં બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ છે. પાર્ટીએ બંને બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે.
પ્રિયંકા ગાંધીએ કેરળમાં સ્થાનિક નેતાઓની હાજરીમાં ફોર્મ પર સહી કરી હતી.
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગેસ્ટ હાઉસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેણે રોડ શો શરૂ કર્યો હતો.
રાહુલે કહ્યું- હું વાયનાડની મુલાકાત કરતો રહીશ વાયનાડ સીટ છોડતી વખતે, 17 જૂને રાહુલે કહ્યું હતું – વાયનાડ અને રાયબરેલી સાથે મારો ગાઢ સંબંધ છે. હું છેલ્લા 5 વર્ષથી વાયનાડથી સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું.
પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું વાયનાડની મુલાકાત કરતો લઈશ. રાયબરેલી સાથે મારો જુનો સંબંધ છે, મને ખુશી છે કે મને ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ તે એક મુશ્કેલ નિર્ણય હતો.
વાયનાડ સીટ છોડ્યા બાદ રાહુલે ત્યાંના લોકોને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં તેમણે વાયનાડ સીટ છોડવા પાછળની પોતાની પીડા અને ત્યાંના લોકો તરફથી મળેલા પ્રેમ વિશે લખ્યું હતું. તેમણે લખ્યું કે પાંચ વર્ષ પહેલા જ્યારે હું તમને મળ્યો ત્યારે હું તમારા માટે અજાણ્યો હતો, છતાં તમે મારા પર વિશ્વાસ કર્યો.
પ્રિયંકાએ કહ્યું- હું વાયનાડને રાહુલની કમી અનુભવવા નહીં દઉં
રાહુલે જૂનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકાને ભેટ્યા હતા જ્યારે તેમણે વાયનાડ સીટ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
રાહુલની જાહેરાત બાદ પ્રિયંકાએ કહ્યું હતું- મને વાયનાડનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ આનંદ થશે. હું વાયનાડને તેમની (રાહુલ ગાંધીની) કમી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ. હું દરેકને ખુશ કરવા અને એક સારી પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો ઘણો જૂનો સંબંધ છે, તેને ભુલી શકાય તેમ નથી. હું રાયબરેલીમાં મારા ભાઈને પણ મદદ કરીશ. અમે રાયબરેલી અને વાયનાડ બંને જગ્યાએ હાજર રહીશું.
વ્યક્તિ એક સાથે બે ગૃહનો સભ્ય ન બની શકે બંધારણ હેઠળ, કોઈ વ્યક્તિ એક સાથે સંસદ અથવા બંને ગૃહ અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સભ્ય ન બની શકે. તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. બંધારણની કલમ 101 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 68 (1) હેઠળ, જો કોઈ જનપ્રતિનિધિ 2 બેઠકો પરથી ચૂંટણી જીતે છે, તો તેણે ચૂંટણી પરિણામ જાહેર થયાના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની રહેશે. જો કોઈ બેઠક ન છોડે તો તેની બંને બેઠકો ખાલી થઈ જાય છે.
આ છે લોકસભા સીટ છોડવાના નિયમો…
• જો કોઈ સભ્ય લોકસભા અથવા કોઈપણ બેઠક પરથી રાજીનામું આપવા માંગે છે, તો તેણે રાજીનામું ગૃહના અધ્યક્ષને મોકલવું પડશે.
• જો નવી સંસદની રચનામાં કોઈ સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકર ન હોય, તો આવી સ્થિતિમાં ઉમેદવાર પોતાનું રાજીનામું ચૂંટણી પંચને સુપરત કરે છે.
• આ પછી ચૂંટણી પંચ રાજીનામાના પત્રની નકલ ગૃહના સચિવને મોકલે છે.