કોલકાતા25 મિનિટ પેહલા
- કૉપી લિંક
દક્ષિણ 24 પરગના જિલ્લાના જયનગરમાં બાળકીમો મૃતદેહ મળી આવ્યા બાદ લોકોએ પોલીસ ચોકીમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગનાના જયનગરમાં 10 વર્ષની બાળકીના મોતના મામલામાં પરિવારે અનેક દાવા કર્યા છે. બાળકીના કાકીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે તેના શરીર પર અનેક ઈજાઓ છે. હાથ-પગ ભાંગી ગયા હતા. પરિવારે પોલીસ પર કેસમાં બેદરકારી દાખવવાના આરોપ પણ લગાવ્યા હતા.
કાકીએ જણાવ્યું કે બાળકી 4 ઓક્ટોબરે ટ્યુશન માટે ગઈ હતી. પરત ફરતી વખતે તે ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ બાળકીને બધે શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ન મળતાં તેઓ મહિસ્મારી પોલીસ સ્ટેશન ગયા. જો કે, ત્યાંની પોલીસે તેમની વાત સાંભળી ન હતી અને તેને જયનગર પોલીસ સ્ટેશન જવા કહ્યું હતું.
જયનગરમાં, સ્થાનિક લોકોએ 5 ઓક્ટોબરની સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. તે ચોથા ધોરણમાં ભણતી હતી. પરિવારે આરોપ લગાતા જણાવ્યું કે બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા કરાઈ છે. ઘટનાના વિરોધમાં ટોળાએ મહિસ્મારી પોલીસ ચોકીને આગ ચાંપી હતી અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.
5 ઓક્ટોબરના રોજ, ટોળાએ મહિસમરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી.
રાજ્યપાલે કહ્યું- સમયસર કાર્યવાહીમાં વિલંબને કારણે બળાત્કારના કેસ વધ્યા
બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી સમયસર પગલાં ન લેવાના કારણે બળાત્કારના કેસમાં વધારો થયો છે.
રાજ્યપાલે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની મેડિકલ કોલેજમાં ડૉક્ટરનો રેપ-હત્યા કેસમાં બેદરકારી દાખવવાથી રાજ્યમાં આવી ઘટનાઓ વધે છે. આનંદ બોઝે કહ્યું કે બંગાળમાં હિંસાનો કોઈ ઉકેલ નથી.
લોકોએ કહ્યું- પોલીસે કોલકાતા રેપ-મર્ડર કેસ જેવું વલણ દાખવ્યુ એક સ્થાનિક વ્યક્તિએ દાવો કર્યો હતો કે 4 ઓક્ટોબરે બાળકી ગુમ થયા બાદ પરિવારે મહિસ્મારી ચોકી પર FIR નોંધાવી હતી. જોકે, પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને કાર્યવાહી કરી ન હતી. આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરનો રેપ-હત્યા અને લાશ મળી આવ્યા પછી પોલીસનું વલણ એ જ હતું જે કોલકાતા પોલીસનું હતું.
લોકોએ કહ્યું, ‘અમારી દીકરી પર બળાત્કાર અને હત્યાના તમામ આરોપીઓને સજા નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ કરીશું. કાર્યવાહી કરવામાં વિલંબ કરનાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોત તો બાળકીને બચાવી શકાઈ હોત.
ભાજપે કહ્યું- મમતા બેનર્જી બંગાળમાં છોકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ
દક્ષિણ 24 પરગનામાં બાળકીનો મૃતદેહ મળ્યા બાદ ભારતીય જનતા યુવા મોરચાએ કોલકાતામાં પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું, ‘કૃપાખાલીમાં ટ્યુશનથી પરત ફરી રહેલી ચોથા ધોરણની બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ગ્રામજનોએ નદીના પટમાંથી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓની સુરક્ષા કરી શકતા નથી. બંગાળની છોકરીઓ નવરાત્રિ દરમિયાન પણ સુરક્ષિત નથી. હું મમતા બેનર્જીને પૂછવા માંગુ છું કે તમારા કુશાસનમાં હજુ કેટલી બંગાળી છોકરીઓને આ દુર્દશાનો સામનો કરવો પડશે.
બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું, ‘ગઈકાલે ટ્યુશનથી પરત ફરી રહેલી 9 વર્ષની બાળકીનો મૃતદેહ આજે કેનાલમાં મળી આવ્યો હતો. મમતા બેનર્જીની પોલીસે એફઆઈઆર નોંધી નથી. જે લોકોએ બાળકીના શરીરને જોયું છે તેમના જણાવ્યા અનુસાર, તેના શરીર પર અભયા (કોલકાતા ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર)ના શરીર જેવી જ ઇજાઓ હતી.
આ સ્થિતિમાં મૃતદેહને સુરક્ષિત રાખવો જોઈએ. પોસ્ટમોર્ટમ કેન્દ્ર સરકાર હેઠળની હોસ્પિટલમાં થવું જોઈએ. મેં બાળકીના પિતા સાથે વાત કરી અને તેઓ સંમત થયા કે લાશને સુરક્ષિત રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ જવાબદારી લેવી જોઈએ કારણ કે તે આરોપીઓને બચાવી રહી છે. અમે આરોપીઓને ફાંસીની સજા અને કેસની સીબીઆઈ તપાસની માંગ કરીશું.
પોલીસે કહ્યું- FIR નોંધાયા બાદ તરત જ કાર્યવાહી કરી, એક આરોપીની ધરપકડ બીજી તરફ, પોલીસે જણાવ્યું કે ફરિયાદ મળતાં જ તેમણે કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, FIR શુક્રવારે રાત્રે 9 વાગ્યે નોંધવામાં આવી હતી. આ પછી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને પ્રાથમિક તપાસ બાદ આજે સવારે એક આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે બાળકીની હત્યાના આરોપમાં 19 વર્ષીય મુસ્તાકિન સરદારની ધરપકડ કરી છે.
9 ઓગસ્ટના રોજ કોલકાતામાં એક ડોક્ટર યુવતી પર બળાત્કાર અને હત્યા કરી હતી કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલના સેમિનાર હોલમાં ડોકટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની બંને આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરના ગુપ્ત ભાગે ઈજા જોવા મળી છે. આરોપીએ તેની ચીસોને દબાવવા માટે ડોક્ટરનું નાક, મોં અને ગળું સતત દબાવ્યું. ગળું દબાવવાને કારણે થાઇરોઇડનું કાર્ટિલેજ તૂટી ગયું હતું. પેટ, હોઠ, આંગળીઓ અને ડાબા પગ પર ઈજાઓ જોવા મળી હતી. પછી તેઓએ તેના પર એટલી તાકાતથી હુમલો કર્યો કે તેના ચશ્મા તૂટી ગયા અને કાચના ટુકડા તેની આંખોમાં ઘુસી ગયા હતા.
10 ઓગસ્ટે પોલીસે બળાત્કાર-હત્યા કેસમાં કોલકાતા પોલીસના સિવિક વોલેંટિયર સંજય રોયની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પુરાવા સાથે ચેડા કરવાના આરોપમાં 14 સપ્ટેમ્બરે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ કરી હતી.
આ ઘટનાના વિરોધમાં બંગાળ સહિત દેશભરમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંગાળમાં જુનિયર ડોકટરોનો વિરોધ હજુ પણ ચાલુ છે. તેઓ આરોગ્ય સચિવને પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે.
બળાત્કાર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
પુણેમાં 21 વર્ષની યુવતીનો ગેંગરેપ, મિત્ર સાથે ઘાટ પર ફરવા ગઈ હતી; પોલીસે બે આરોપીઓના સ્કેચ જાહેર કર્યા હતા
મહારાષ્ટ્રના પુણેમાં 3 ઓક્ટોબરે 21 વર્ષની યુવતી પર ગેંગરેપ થયો હતો. પીડિતા તેના મિત્ર સાથે ઘાટ પર ફરવા ગઈ હતી, જ્યાં રાત્રે લગભગ 11 વાગ્યે ત્રણ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો. આ કેસમાં પોલીસે 4 ઓક્ટોબરે સાંજે બે શંકાસ્પદ આરોપીઓના સ્કેચ જાહેર કર્યા હતા. પુણેના જોઈન્ટ પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું કે આરોપીની શોધ હજુ ચાલુ છે.