દિલ્હી4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરાખંડની મદરેસાઓમાં ટૂંક સમયમાં સંસ્કૃત ભણાવવામાં આવશે. રાજ્યની 400થી વધુ મદરેસાઓમાં તેને વૈકલ્પિક વિષય તરીકે રાખવામાં આવશે.
મદરેસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી શમૂને ગુરુવારે કહ્યું કે, અમે લાંબા સમયથી આ યોજના પર કામ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારની પરવાનગી મળતાં જ તેનો અમલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મદરેસામાં જતા બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માગે છે, તેને ધ્યાનમાં રાખીને અમે આ યોજના બનાવી છે.
ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ મુફ્તી શમૂને મદરેસામાં સંસ્કૃત ભણાવવાની હિમાયત કરી છે.
મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમના અમલ પછી સારા પરિણામો પ્રાપ્ત થયા બોર્ડના પ્રમુખ મુફ્તી શમૂને જણાવ્યું હતું કે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમના અમલના આ વર્ષે ખૂબ સારા પરિણામો આવ્યા છે. 96% થી વધુ બાળકો પાસ થયા. આ દર્શાવે છે કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓમાં પ્રતિભાની કોઈ કમી નથી. જો તક આપવામાં આવે તો તેઓ સંસ્કૃતિ સહિત તમામ વિષયોમાં સારું પ્રદર્શન કરી શકે છે.
તેમણે કહ્યું કે, અરબી અને સંસ્કૃત બંને પ્રાચીન ભાષાઓ છે. જો મદરેસાના વિદ્યાર્થીઓને અરબીની સાથે સંસ્કૃતનો અભ્યાસ કરવાની તક મળે તો તે તેમના માટે ફાયદાકારક રહેશે.
ચિલ્ડ્રન કમિશનના અધ્યક્ષે મદરેસાઓને બંધ કરવા અંગે રાજ્યોને પત્ર લખ્યો હતો આ પહેલા 13 ઓક્ટોબરે નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (NCPCR) એ તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું હતું કે, મદરેસાઓને આપવામાં આવતું ફંડ બંધ કરવામાં આવે. આ રાઈટ-ટુ-એજ્યુકેશન (RTE) નિયમોનું પાલન કરતા નથી.
કમિશને આ સૂચન ‘ગાર્ડિયન્સ ઑફ ફેઈથ ઓર ઓપૉનન્ટ્સ ઑફ રાઈટ્સઃ કૉન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વર્સિસ મદરેસા’ નામનો રિપોર્ટ તૈયાર કર્યા બાદ આપ્યો છે.
NCPCRએ કહ્યું- મદરેસામાં સંપૂર્ણ ધ્યાન ધાર્મિક શિક્ષણ પર હોય છે, જેના કારણે બાળકોને જરૂરી શિક્ષણ મળતું નથી અને તેઓ અન્ય બાળકોથી પાછળ રહે છે.
બાળ આયોગની 3 ભલામણો
- રાજ્ય દ્વારા મદરેસાઓ અને સેમિનરી બોર્ડને આપવામાં આવતું ફંડ બંધ કરવું જોઈએ.
- બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવા જોઈએ. બંધારણના અનુચ્છેદ 28 મુજબ કોઈ પણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય.
- ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે આપી શકાય નહીં.