37 મિનિટ પેહલા
- કૉપી લિંક
તામિલનાડુના મંત્રી ટી.એમ. અનબરસનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. આમાં તેઓ કહી રહ્યા છે કે મેં અત્યારે શાંતિ રાખી છે, કારણ કે હું મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો મેં તેમના (પીએમ મોદી) ટુકડા કરી નાખ્યા હોત.
તેમનું આ નિવેદન ગત સપ્તાહનું હોવાનું કહેવાય છે. સુપ્રીમ કોર્ટના વકીલે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં અનબરસન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ટી.એમ. અનબરસન તામિલનાડુમાં એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગમંત્રી છે.
અનબરસને કહ્યું- જો તેઓ મંત્રી ન હોત તો બીજી પદ્ધતિ અપનાવત
વાઇરલ વીડિયોમાં અનબરસન કહી રહ્યા છે કે આપણા ઘણા વડાપ્રધાન થયા છે, કોઈ આ રીતે બોલતું નહોતું. મોદી અમને નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ હું તમને એક વાત યાદ અપાવી દઉં કે ડીએમકે કોઈ સામાન્ય સંગઠન નથી. ઘણાં બલિદાન આપ્યાં છે.
જે લોકોએ ડીએમકેને ખતમ કરવાની વાત કરી તેમનો નાશ થયો. સંગઠન તો ચાલુ જ રહેશે, ધ્યાનમાં રાખજો. મેં તેમની સાથે (પીએમ મોદી) અલગ રીતે વ્યવહાર કર્યો હોત. અત્યારે હું મૌન છું, કારણ કે હું મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો તેમની સાથે બીજી પદ્ધતિ અપનાવત.

ટી.એમ. અનબરસન તામિલનાડુની એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગમંત્રી છે.
ભાજપે કહ્યું- આ નિવેદન I.N.D.I.A. ગઠબંધનનો એજન્ડા સ્પષ્ટ કરે છે
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે INDIA ગઠબંધનનો એજન્ડા આનાથી વધુ સ્પષ્ટ ન હોઈ શકે. તેમનો ઉદ્દેશ સનાતન ધર્મ અને એમાં માનનારાઓનો નાશ કરવાનો છે. એ જ સમયે, બીજેપીના રાષ્ટ્રીય સચિવ સત્ય કુમાર યાદવે કહ્યું હતું કે ફરી એકવાર INDIA ગઠબંધનનું છીછરું સ્તર.
