બાંદા3 કલાક પેહલા
- કૉપી લિંક
મુખ્તાર અંસારી અને તેમના પુત્ર ઉમર અંસારી વચ્ચેની વાતચીતનો છેલ્લો ઓડિયો સામે આવ્યો છે. આમાં મુખ્તાર કહી રહ્યો છે કે ખૂબ જ કમજોર થઈ ગયો છું. દીકરા હું ઊઠી-બેસી નથી શકતો. માત્ર શરીર જાય છે, પરંતુ આત્મા અહીં જ રહી જાય છે.
ઓડિયો 28 માર્ચનો હોવાનું કહેવાય છે. મુખ્તારનું ગુરુવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેને જેલમાંથી રાત્રે 8:25 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઉલ્ટી અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડોક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં.
મુખ્તાર અંસારીના પુત્ર ઉમરે ડીએમને પણ એક પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે- 28 માર્ચના રોજ લગભગ 3.30 વાગ્યે મેં મારા પિતા સાથે વાત કરી હતી. ત્યારે તે મને કહેતા હતા કે, પૂર્વ યોજના મુજબ મને ઝેર આપવામાં આવ્યું છે. હું 10 દિવસથી વોશરૂમ ગયો નથી. ઉમર પુત્ર, હવે હું બચીશ નહીં.
ત્યારબાદ મીડિયા દ્વારા તેમના મોતના સમાચાર મળ્યા. મુખ્તારને એપ્રિલ 2021 એટલે લગભગ 3 વર્ષ પહેલાં પંજાબની રોપડ જેલથી બાંદા લાવવામાં આવ્યો હતો.
હવે બંને વચ્ચેની વાતચીત વાંચો-
ઉમર: પપ્પા, તમે ઠીક છો?
મુખ્તાર: હા બાબુ, હું ઠીક છું.
ઉમર: અલ્લાહે બચાવી લીધા છે, રમઝાનના આ પવિત્ર મહિનામાં. મુખ્તાર: હું બેભાન થઇ રહ્યો છું. ખૂબ નબળાઇ લાગી રહી છે.
ઉમર: મેં સમાચારમાં જોયું કે તમે નબળા દેખાઈ રહ્યા છો. અમે કોર્ટમાં છીએ. તમને મળવાની પરવાનગી લેવા માટે. ઈન્સ્પેક્ટર કાકા અમારું કામ કરાવી રહ્યા છે. પરવાનગી મળશે તો અમે તમને મળવા આવીશું.
મુખ્તારઃ બેટા હું બેસી શકતો નથી. ઉઠી પણ શકતો નથી.
ઉમર: આ બધી ઝેરની અસર દેખાઈ રહી છે. તમે હિંમત કરીને ફોન કરવાનું રાખો. પપ્પા, તમારો અવાજ સાંભળીને સારું લાગે છે.
મુખ્તાર: હા બાબુ, શરીર તો જાય છે… પણ આત્મા તો અહીં જ રહી જાય છે.
ઉમર: તમે હિંમત રાખો… તમારે હજુ હજ પણ કરવાની છે… બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં મરી ગયું હોત.
મુખ્તાર: હું તો ઊભો પણ નથી થઈ શકતો. હું વ્હીલ ચેરના સહારે છું.
ઉમર: જોજો તમે જલ્દી સ્વસ્થ થશો. તમે વોશરૂમમાં જાવ છો કે નહીં? મુખ્તાર: હું દસ દિવસથી વોશરૂમમાં ગયો નથી.
ઉમર: ચિંતા કરશો નહીં. હું તમારા માટે ઝમઝમ લઇને આવીશ. ખજૂર લાવીશ… ફળ લાવીશ.
આ તસવીર 28 માર્ચની છે. મુખ્તારના મૃત્યુ બાદ ઉમર હોસ્પિટલ પહોંચ્યો હતો.
જેલમાં છેલ્લા 8 દિવસ મુખ્તાર ચર્ચામાં રહ્યો છે. ચાલો, 8 દિવસના ઘટનાક્રમ વિશે તમને જણાવીએ…
21 માર્ચઃ કોર્ટમાં કહ્યું- જેલમાં ઝેર આપવામાં આવ્યું છે
બારાબંકીની MP/MLA કોર્ટમાં નકલી એમ્બ્યુલન્સ કેસમાં સુનાવણી થઈ. પરંતુ મુખ્તાર હાજર થયા નહીં. તેમની જગ્યાએ ડેપ્યુટી જેલર મહેન્દ્ર સિંહ કોર્ટમાં પહોંચ્યા. મુખ્તારના વકીલ રણધીર સિંહ સુમન પણ કોર્ટમાં પહોંચ્યા અને એક એપ્લિકેશન આપી દીધી.
જેમાં લખવામાં આવ્યું હતું કે- સાહેબ, 19 માર્ચે રાત્રે જેલમાં મને ભોજનમાં કોઈ ઝેરી પદાર્થ આપવામાં આવ્યો છે, જેના કારણે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. મારા હાથ-પગ અને શરીરની નસમાં દુખાવો થઈ રહ્યો છે. હાથ-પગ ઠંડા પડી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે હું મરી જઈશ. 40 દિવસ પહેલાં પણ મારા ભોજનમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું.
મુખ્તારનું હાથનું લખાણ
24 માર્ચ: જેલર અને 2 ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા
મુખ્તાર કેસમાં બેદરકારીના આરોપસર જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં જેલર યોગેશ કુમાર, ડેપ્યુટી જેલર અરવિંદ કુમાર અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે.
26 માર્ચ: મુખ્તારને પેટમાં દુખાવો થતો હતો, તેને બાંદા મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો હતો
સવારે 3 વાગે મુખ્તારને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો. 5.30 વાગ્યે તેને એમ્બ્યુલન્સ દ્વારા બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો. અહીં તેની સારવાર કરવામાં આવી હતી. 14 કલાક બાદ તેને જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન બાંદા મેડિકલ કોલેજ પહોંચેલા અફઝલ અંસારીએ જણાવ્યું હતું કે મુખ્તારને તેના ભોજનમાં કોઈ ઝેરી પદાર્થ આપવામાં આવી રહ્યો હતો. આવું 40 દિવસ પહેલાં પણ એક વખત બન્યું છે. હવે ફરી આવું બન્યું છે.
મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ કહ્યું હતું કે હું 900 કિલોમીટર દૂરથી આવ્યો છું. મને અરીસામાંથી પણ મારા પિતાને જોવાની મંજૂરી નહોતી. આ જુલમ છે, અમે કાનૂની લડાઈ લડીશું અને સુપ્રીમ કોર્ટમાં જઈશું.
મુખ્તારની તબિયત બગડવાની માહિતી મળતાં જ નાનો દીકરો ઉમર અને વહુ નિખાત બાંદા મેડિકલ કોલેજ પહોંચ્યાં.
28 માર્ચ: મુખ્તારે ખીચડી ખાધી, બપોરે 2.30 વાગ્યે તેની તબિયત ફરી બગડી
મુખ્તારે થોડી ખીચડી ખાધી હતી. બપોરે 2.30 કલાકે મુખ્તારને ફરીથી તકલીફ પડી. 3.30 વાગ્યે જેલમાં જ ત્રણ ડોક્ટરોએ ચેકઅપ કર્યું હતું. 5 વાગે એસડીએમ રાજેશ કુમાર જેલ પહોંચ્યા અને અધિકારીઓ પાસેથી મુખ્તાર વિશે માહિતી લીધી. ડીએમ અને એસપી 7.30 વાગ્યે જેલ પહોંચ્યા. 8.15 વાગ્યે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મુખ્તારને બેભાન અવસ્થામાં મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યો.
8.30 વાગ્યે મેડિકલ કોલેજના ICUમાં મુખ્તારની સારવાર શરૂ કરવામાં આવી હતી. રાત્રે 9.20 કલાકે તેમને આઈસીયુમાંથી સીસીયુમાં ખસેડવામાં આવ્યો. 10.30 વાગ્યે પ્રશાસને મુખ્તારના મૃત્યુની જાણકારી આપી. 11 વાગે કમિશનર અને ડીઆઈજી પણ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. 12.30 વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલવામાં આવ્યો હતો.
આ ફૂટેજ મુખ્તારને બાંદા જેલમાંથી રાની દુર્ગાવતી મેડિકલ કોલેજ લાવવાના સમયના છે.