- Gujarati News
- Dharm darshan
- 28 Or 29; On Which Of These Two Days Will You Celebrate Dhanteras? On 31st After 5.27 PM Perform Lakshmi Puja And Chopda Pujan
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાળી પહેલાં આવતું રમા એકાદશીનું વ્રત આવતીકાલે એટલે કે 27/10/2024 રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ એકાદશીથી જ દિવાળી પર્વની શરૂઆત થાય છે. રમા એકાદશીના દિવસે, એટલે આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિવત્ પૂજા કરવાનું વિધાન છે. આજે સાંજે સૂર્યોદય સમયે તુલસી માતાને ચૂંદડી ઓઢાળીને દીવો પ્રગટાવવામાં આવે છે.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની વિધિવત્ પૂજા કરવાનું વિધાન છે. આજે સાંજે સૂર્યોદય સમયે તુલસી માતાને ચૂંદડી ઓઢાળીને દીવો પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે પંચાંગ તિથિ ભેદ હોવાથો પડતર દિવસ આવે છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, ધનતેરસ 29 તારીખે મંગળવારે ઊજવાશે, જ્યારે દિવાળીની ઉજવણી 31 ઓક્ટોબરના રોજ ગુરુવારે થશે, જ્યારે નૂતન વર્ષની ઉજવણી 02 નવેમ્બરને શનિવારે કરવામાં આવશે.